એવા એક પિતાની કહાણી...સાંભળીને કરશો થૂં થૂં! 3-3 સંતાનો હોવા છતાં સગીરા સાથે પ્રેમ, પછી તો હદ કરી!

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની નજીક ભાડે રહેતા મહંમદ જુનેદ મુસ્લીમ શેખ પ્લમ્બરીંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની ૧૫ વર્ષિય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો.

એવા એક પિતાની કહાણી...સાંભળીને કરશો થૂં થૂં! 3-3 સંતાનો હોવા છતાં સગીરા સાથે પ્રેમ, પછી તો હદ કરી!

ઝી બ્યુરો/સુરત: અઠવા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષીય પુત્રીને ત્રણ સંતાનોના પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો. પોલીસે સગીરાનું પગેરૂ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરુષની ચુંગાલમાંથી મુકત કરાવી હતી. 

સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની નજીક ભાડે રહેતા મહંમદ જુનેદ મુસ્લીમ શેખ પ્લમ્બરીંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની ૧૫ વર્ષિય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો. સગીરાનું અપહરણ થતાં વાલીએ અઠવા પોલીસ મથકમાં અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી.

બનાવની ગંભીરતા જોઇને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે મહિલા એએસઆઈ મીનાક્ષીબેન.હે.કો.વેલાભાઈ ભડીયાદરા સહિત સ્ટાફને બિહારના દરભંગા રવાના કર્યા હતા. જયાં પોલીસે દરભંગા નજીકના પાલી,ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડયો હતો. બંનેને લઈને સુરત પહોંચ્યા હતા.

સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પુછપરછ કરતાં ત્રણ સંતાનનો પિતા હોવાનું જણાવ્યુ હતુ. સગીરાને લગ્ન કરવાના ઇરાદે વતનમાં લઈ ગયો હોવાની કબુલાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news