રસોડાના આ વાસણમાં છુપાયા છે કેન્સરના કારણો, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, તરત બહાર ફેકી દો આ પ્રકારના વાસણ!
Health Tips: આપણે દરોરોજ રસોડામાં વાસણોનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. હાલમાં વૈજ્ઞાનિકોએ એક અભ્યાસથી વોર્નીંગ આપી છે કે આપણા કીચનમાં રહેલા અનેક વાસણો આપણા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ વાસણોના ઉપયોગથી કેન્સરનું જોખમ વધી જાય છે.
Health Tips: આપણે દરરોજના જીવનમાં રસોડાના વાસણોનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. પરંતુ તાજેતરના એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે રસોડાના કેટલાક વાસણો આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે, ખાસ કરીને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ અભ્યાસ અનુસાર રસોડાના વાસણોમાં હાજર માઇક્રો પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની શકે છે.
એક ખાનીગી પોર્ટલના એક સમાચાર અનુસાર, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘણા વાસણોમાં પ્લાસ્ટિકના આવા કણો હોય છે, જે ગરમીના સંપર્કમાં આવ્યા પછી આપણા ખોરાકમાં ભળી શકે છે. આ માઈક્રો-પ્લાસ્ટિકના કણો શરીરમાં જમા થઈ શકે છે, જેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું અસંતુલન કેન્સર, હોર્મોનલ અસંતુલન અને અન્ય ગંભીર રોગોનું કારણ બની શકે છે.
એક્સપર્ટે શું કહેવું છે?
નિષ્ણાતો કહે છે કે રસોડામાં ઉપયોગમાં લેવાતા કેટલાક વાસણો જેમ કે પ્લાસ્ટિકના વાસણો, કેટલાક નોન-સ્ટીક પેન અને પ્લાસ્ટિકના આવરણમાં માઇક્રોપ્લાસ્ટિક હોઈ શકે છે. આ વાસણો ગરમીના સંપર્કમાં આવતાની સાથે જ આ કણો છોડે છે, જે પછી આપણા ખોરાકમાં ભળી જાય છે. તેની લાંબા ગાળાની અસર શરીરમાં વિવિધ પ્રકારના રોગોના સ્વરૂપમાં દેખાઈ શકે છે.
ઉપાય શું છે?
વૈજ્ઞાનિકો સૂચવે છે કે આવા વાસણોનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી દેવો જોઈએ. લોકોએ સ્ટેનલેસ સ્ટીલ, કાચ અને વાંસના વાસણોનો ઉપયોગ કરવો જોઈએ, જે સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પ્લાસ્ટિકના વાસણો અને નોન-સ્ટીક પેનનો ઉપયોગ ઓછો કરો, કારણ કે તેમાંથી નીકળતા માઇક્રો-પ્લાસ્ટિકના કણો આપણા સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસર કરી શકે છે.
Disclaimer: આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે.
Trending Photos