ભરૂચ: SRPના બે જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભરૂચમાં વળી પાછા કોરોનાના બે કેસ જોવા મળ્યાં છે. અમદાવાદ ફરજ પર ગયેલા એસઆરપીના બે જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાલિયાના રૂપનગર ખાતે આવેલા એસઆરપી કેમ્પના બે જવાનો કોરોનાના ચેપનો ભોગ બન્યાં. 
ભરૂચ: SRPના બે જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભરત ચૂડાસમા, ભરૂચ: ભરૂચમાં વળી પાછા કોરોનાના બે કેસ જોવા મળ્યાં છે. અમદાવાદ ફરજ પર ગયેલા એસઆરપીના બે જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાલિયાના રૂપનગર ખાતે આવેલા એસઆરપી કેમ્પના બે જવાનો કોરોનાના ચેપનો ભોગ બન્યાં. 

અત્રે જણાવવાનું કે સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં અત્યાર સુધીમાં 28 કેસ નોંધાયા હતાં અને 2 વ્યક્તિના મૃત્યુ થયા છે. 

ભરૂચ, અંકલેશ્વરમાં  આજથી શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રિનિંગ
ભરૂચ અને અંકલેશ્વરમાં આજથી શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રિનિંગ હાથ ધરાશે. 3 દિવસમાં 1500થી વધુ શાકભાજી વિક્રેતાઓના આરોગ્યનું ચેકિંગ શરૂ થશે. હેલ્થ કાર્ડ વગર શાકભાજી વેચવા પર પ્રતિબંધ છે અને કાર્ડ વગર પકડાયા તો ગુનો નોંધાશે. જિલ્લા બહારથી આવનાર લોકોની જાણકારી આપવા હેલ્પ લાઈન નંબર જાહેર,90999 18924 જાહેર કરાયો છે. 

જુઓ LIVE TV

લોકડાઉનમાં શ્રમિકોની હિજરત ઉદ્યોગો માટે મુશ્કેલીરૂપ
લોકડાઉનમાં હજારો શ્રમિકોની હિજરત ઉદ્યોગો માટે મુશ્કેલી બનશે. શ્રમિકોની વતન વાપસીથી અંકલેશ્વર, વિલાયત, દહેજ, પાનોલીના 3500 ઉદ્યોગકારોની ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધી જિલ્લામાંથી યુપીની 2, બિહારની 1 ટ્રેન મઓળીને 3600 સહિત એક લાખ શ્રમિકોની વતન વાપસી થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news