રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ કરનારા ચેતી જજો! NIAની બ્રાન્ચ હવે ગુજરાતમાં આ જગ્યાએ શરૂ થઈ

NIA (National Investigation Agency) ની બ્રાન્ચની શરૂઆત અમદાવાદમાં કરી દેવામાં આવી છે. આ બ્રાન્ચ ગુજરાત આખામાં કાર્યરત રહેશે. ગુજરાતનું મુખ્ય મથક અમદાવાદના એસજી હાઇ-વે ખાતે આવેલ પરિસરમાં રાખવામાં આવ્યું છે.  

રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ કરનારા ચેતી જજો! NIAની બ્રાન્ચ હવે ગુજરાતમાં આ જગ્યાએ શરૂ થઈ

ઉદય રંજન/અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ગુજરાત ડ્રગ્સ માફિયાના સોફ્ટ ટાર્ગેટ પર છે. આ સહીત ભૂતકાળમાં પણ આતંકીઓના નિશાને ગુજરાત રહી ચૂક્યું છે. ત્યારે NIA (National Investigation Agency) ની બ્રાન્ચની શરૂઆત અમદાવાદમાં કરી દેવામાં આવી છે. આ બ્રાન્ચ ગુજરાત આખામાં કાર્યરત રહેશે. ગુજરાતનું મુખ્ય મથક અમદાવાદના એસજી હાઇ-વે ખાતે આવેલ પરિસરમાં રાખવામાં આવ્યું છે.  

No description available.

અમદાવાદ ખાતેની NIAની બ્રાન્ચમાં 2 એસપી કક્ષાના અધિકારી, 4 એસીપી કક્ષાના અધિકારી, 8 પીઆઇ કક્ષાના અધિકારી અને 8 જેટલા પીએસઆઇ કક્ષાના અધિકારી સહિત પોલીસ કર્મીઓ રહેશે. 

No description available.

હાલમાં આ NIAની બ્રાન્ચમાં એ એસપી કક્ષાનાની નિમણૂંક કેન્દ્ર સરકારમાંથી નિમણુંક કરી દેવામાં આવી છે અને ગુજરાત પોલીસમાંથી એસીપી, પીઆઇ, PSI સહિતના પોલીસ કર્મીની નિમણુંક કરવાની કાર્યવાહી ચાલી રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news