EPFO Rule: PFમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો, તો તમારે 30% ટેક્સ ચૂકવવો પડી શકે છે, જાણો નવો નિયમ

કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં પીએફમાં જમા રકમ ઉપાડવાની મંજૂરી છે, જેમ કે મેડિકલ ઈમરજન્સી, ઉચ્ચ શિક્ષણ અને ઘર બનાવવું કે ખરીદવું.

 EPFO Rule: PFમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો, તો તમારે 30% ટેક્સ ચૂકવવો પડી શકે છે, જાણો નવો નિયમ

નવી દિલ્હીઃ સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરનાર કર્મચારીઓ માટે પીએફમાં જમા રકમ ખુબ મોટો સહારો હોય છે. જરૂર પડવા પર કર્મચારી પોતાના PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) અલગ-અલગ જરૂરીયાત માટે પૈસા ઉપાડવાની સુવિધા આપે છે. તમને જણાવી દઈએ કે EPF સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય એશ્યોર્ડ રિટાયરમેન્ટ ફંડ અને પેન્શન દ્વારા સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોના નિવૃત્તિ પછીના જીવનને આર્થિક રીતે સુરક્ષિત કરવાનો છે. જો કે, કર્મચારીઓ યોજના પરિપક્વ થાય તે પહેલા જ તેમના EPF ખાતામાંથી આંશિક અથવા સંપૂર્ણપણે ભંડોળ ઉપાડી શકે છે. જોકે, તાજેતરમાં EPFOએ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ પછી ટેક્સનું ભારણ વધ્યું છે. ચાલો જાણીએ શું છે EPFOનો નવો નિયમ?

નવા EPF ઉપાડના નિયમો 2024
સામાન્ય પરિસ્થિતિમાં, જો તમે કોઈ બ્રેક કે વિરામ વગર નિયમિત નોકરી કરો છો તો તમે સેવાનિવૃત્તિ પહેલા ભવિષ્ય નિધિ ન ઉપાડી શકો. પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિમાં ફંડના આંશિક ઉપાડની મંજૂરી છે, જેમ કે મેડિકલ ઈમરજન્સી, ઉચ્ચ શિક્ષણ અને ઘર ખરીદવું કે બનાવવું. જો કોઈ કર્મચારી પોતાની નોકરી ગુમાવી દે છે તો તે એક મહિનો બેરોજગાર રહ્યાં બાદ EPF ના 75 ટકા અને બે મહિના બાદ 100 ટકા ઉપાડી શકે છે. પરંતુ તે માટે કર્મચારીએ બેરોજગારીની જાહેરાત કરવી પડશે. 

ક્યારે ઉપાડ પર આપવો પડશે 30% ટેક્સ
પીએફ ફંડના આંશિક અથવા સંપૂર્ણ કરમુક્ત ઉપાડ માટે, તે ફરજિયાત છે કે પીએફ સબસ્ક્રાઇબરે EPFO ​​યોજના હેઠળ યોગદાનના 5 વર્ષ પૂરા કર્યા હોય. જો કે, જો ઉપાડની રકમ 50,000 રૂપિયાથી ઓછી હોય, તો કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો ખાતું ખોલવાના પાંચ વર્ષમાં EPF ઉપાડની રકમ રૂ. 50,000 કરતાં વધી જાય, તો EPF સબ્સ્ક્રાઇબરે 10% TDS ચૂકવવો પડશે, જો તેની પાસે PAN કાર્ડ હોય. PAN વિના, આ કર જવાબદારી 30% બની જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news