દેવાળીયું પાકિસ્તાન વિવાદિત ગિલગિટ-બાલિસ્તાનને વિશેષ રાજ્ય બનાવવાની ફીરાકમાં

પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટરે ચાર પ્રાંતોય સરકાર નથી સંભાળી શકતી તેવી ટકોર કરી છતા પણ પોતાની વિસ્તારવાદની ભુખને મીટાવવા ઇમરાન સરકારનો નવો ફતવો

દેવાળીયું પાકિસ્તાન વિવાદિત ગિલગિટ-બાલિસ્તાનને વિશેષ રાજ્ય બનાવવાની ફીરાકમાં

ઇસ્લામાબાદ : પાકિસ્તાને પોતાનાં લોકો જ કહી રહ્યા છે કે પોતાની સરકાર ચાર પ્રાંતો સંભાળી નથી શકી, કાશ્મીર શું સંભાળશે. જો કે સરકારે આ વાત કદાચ સાંભળી નથી. પીઓકે પર કબ્જો જમાવી બેટેલ પાકિસ્તાની વિવાદિત ગિલગિટ- બાલિસ્ટાન ક્ષેત્ર મુદ્દે નવી ચાલ ચાલી છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે ગિલગિટ બાલિસ્ટાન ક્ષેત્રનાં લીગસ સ્ટેટસની સમીક્ષા માટે એક કમિટીની રચના કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત આ ક્ષેત્રને જમ્મુ અને કાસ્મીરનો હિસ્સો બનાવવા માંગે છે. નોર્ધન એરિયાઝનાં નામે ચર્ચિત કાશ્મીરનાં આ ટુકડાને હવે પાકિસ્તાનનાં પોતાનું પાંચમુ ક્ષેત્ર જાહેર કરવાની યોજના બનાવી છે. જો કે ભારત તેનો આકરો વિરોધ કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સાકિબ નિસારની આગેવાનીવાળી સાત જજોની બેંચે ઓક્ટોબરમાં સરકારને નિર્દેશ આપ્યો હતો કે તેઓ બીજા પ્રાંતોની બરાબર લાવવા માટે આ ક્ષેત્રનાં લીગલ સ્ટેટસની સમીક્ષા કરે. 

ઇમરાન સરકારે બનાવી 10 સભ્યોની કમિટી
હવે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે આ અંગે નિર્ણય કરતા 10 સભ્યોની એક કમિટી બનાવી છે. પાકિસ્તાનનાં સુપ્રીમ કોર્ટે પણ તત્કાલીન નવાઝ શરીફ સરકાર દ્વારા રચાયેલી વિશેષ પેનલની સલાહનો સ્વિકાર કરતા નિર્દેશ આપ્યો હતો. આ પેનલ ક્ષેત્રના સંવૈધાનિક અને તંત્રના સુધારાઓ માટે રચવામાં આવી હતી. 

જજે આર્ટિકલ 370નો પણ ઉલ્લેખ કર્યો.
બેન્ચના એક સભ્યે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો કે જો ભારત પોતાના સંવિધાનનાં આર્ટિકલ 370માં સંશોધન કરીને જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપી શકે છે કે પાકિસ્તાન ગિલગિટ બાલિસ્ટાનનો અસ્થાયી પ્રાંતીય દરજ્જો શા માટે ન આપી શકે. કોર્ટે તેમ પણ કહ્યું કે, ગિલગિટ બાલિસ્ટાનનાં લોકો પણ પાકિસ્તાનનાં છે અને તેમને પણ તમામ અધિકારો મળે તે જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news