ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ધાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે.

ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ધાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ઈમરાન ખાને કહ્યું છે કે કરતારપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન માટે પાસપોર્ટની જરૂર રહેશે નહીં. 

ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું  કે ભારતથી કરતારપુર જવાના શીખ શ્રદ્ધાળુઓ માટે બે શરતો મેં છોડી છે. એક- તેમની પાસે પાસપોર્ટ હોવા જરૂરી નથી. ફક્ત એક કાયદેસર આઈડી જ પૂરતું રહેશે. બીજી  એ કે 10 દિવસ પહેલા એડવાન્સમાં રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી. 

ઈમરાન ખાને વધુમાં કહ્યું કે ઉદ્ધાટનના દિવસે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. ગુરુનાનક દેવજીના 550માં જન્મદિવસ પર કોઈ પણ ફી લેવાશે નહીં. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન યાત્રાળુઓ પાસેથી 20 ડોલર (લગભગ 1400 રૂપિયા)ની ફી વસૂલવા પર મક્કમ છે. કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનને દર મહિને લગભગ 30 લાખ ડોલરની કમાણી થઈ શકે છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે બાબા ગુરુ નાનકના 12 નવેમ્બરે થનારા 550માં પ્રકાશોત્સવના 3 દિવસ પહેલા 9 નવેમ્બર ઈમરાન  ખાન પાકિસ્તાનના પંજાબ પ્રાન્તના નરોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે. ભારતીય સરહદની બિલકુલ પાસે આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા સુધી શ્રદ્ધાળુઓ આ કોરિડોર દ્વારા જઈ શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news