Pilgrimage News

આત્મનિર્ભર ગ્રામયાત્રાનો ગોધરાથી પ્રારંભ, અર્જૂનસિંહ ચૌહાણ પણ રહ્યા હાજર
રાજ્યમાં ચાલી રહેલ ત્રી દિવસીય આત્મનિર્ભર ગ્રામયાત્રાનો રાજ્ય કક્ષાનો સમાપન કાર્યક્રમ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ગોધરાના ઓરવાળા ગામ ખાતે યોજાયો હતો. રાજ્યના ૩૩ જિલ્લામાં ૧૦૯ થી વધુ રથથી પરિભ્રમણ કરી ત્રણ દિવસમાં પંચમહાલ જિલ્લાની ૩૮ જિલ્લા પંચાયત બેઠક સહિત રાજ્યભરની ૧૦૯૦ જિલ્લા પંચાયત બેઠકો આવરી લઈ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને લાભાર્થીઓને લાભનું વિતરણ કર્યા બાદ આજરોજ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું સમાપન ગોધરાના ઓરવાળા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
Nov 20,2021, 22:51 PM IST

Trending news