વડોદરામાં પૂર News

30 વર્ષથી શાસન કરતી ભાજપને વડોદરાનો વિકાસ ન દેખાયો! શહેરને પૂરથી 1500 કરોડનું નુકસાન
Vadodara Floods : ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસનનું છે. તેમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી જીતને દિલ્હીની ગાદી સુધી પહોંચ્યા હતા. વડોદરા વર્ષોથી ભાજપનો ગઢ કહેવાય છે. છતાં વડોદરાના વિકાસ માટે ભાજપ સરકારે હંમેશાથી આંખ આડા કાન કરી રહ્યાં છે. દર પાંચ વર્ષે સરકારના પાપે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે છે. વડોદરામાં સર્જાતી તારાજી સરકારને કેમ દેખાતી નથી. ત્યારે આ વખતે આવેલા પૂરે વડોદરાવાસીઓને લગભગ 1500 કરોડનું નુકસાન કરાવ્યું છે. ત્યારે હવે વડોદરાવાસીઓનો રોષ નેતાઓ પર દેખાઈ રહ્યો છે. ગઈકાલથી ભાજપના નેતાઓને ધક્કે ચઢાવાઈ રહ્યાં છે. પૂરના પાણીમાં અત્યાર સુધી 13 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. 
Aug 30,2024, 10:29 AM IST

Trending news