માલધારી સમાજ News

આદિવાસી-માલધારી માટે મોટા સમાચાર, પ્રમાણપત્રની ચકાસણી માટે જ્યુડિશિયલ કમિશન નિમાશે
આદિવાસીઓ અને માલધારીઓને લઇ મોટા સમાચાર આવ્યા છે. સાચા આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણીને લઈ જ્યુડિશિયલ કમિશનની રચના કરાશે. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિટીની રચના કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિશન રચાશે. બે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ ફોરેસ્ટ અને રેવન્યુ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાશે. ગીર બરડા અને આલજમાં વસતા માલધારીઓ દ્વારા આ અંગે આંદોલન કરાયું હતું. આદિવાસીઓએ ખોટા પુરાવાના આધારે સરકારી નોકરી મેળવનારની સામે પગલાં ભરવા અને ચકાસણીની માંગ કરી હતી. આદિવાસીઓ અને માલધારી આગેવાનોએ જ્યુડિશિયલ કમિશનની ઈન્ક્વાયરી સોંપવાને લઈ સંમતિ આપી છે.
Jul 8,2020, 14:03 PM IST

Trending news