Samajwadi party News

PM મોદીએ મુલાયમસિંહ યાદવ સાથેની યાદગાર તસવીરો ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી મોદીએ મુલાયમસિંહ યાદવ સાથે પોતાની યાદોને સાંકળીને તેમની સાથેની તસવીરો ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટવીટ કરીને જણાવ્યું છેકે, મુલાયમસિંહ યાદવજીના નિધનથી માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પણ સમગ્ર દેશની રાજનીતિને એક મોટી ખોટ પડી છે.કટોકટો દરમિયાન મુલાયમસિંહજી એ લોકશાહીના મહત્ત્વના સિપાહી તરીકે ભૂમિકા ભજવી હતી. સરંક્ષણ મંત્રી તરીકે તેમણે ખુબ મહત્ત્વના નિર્ણયો લીધાં અને દેશને વધુ મજબૂત બનાવ્યો. સાંસદ તરીકે તેમનું જીવન એક સામાજીક રાજનેતાનું રહ્યું. હંમેશા તેઓ લોકોના પ્રશ્નોને વાંચા આપતા રહ્યાં. જાહેરજીવન સાથે સંકળાયેલાં લોકો માટે તેમનું જીવન એક પ્રેરણા સ્ત્રોત સમાન છે.
Oct 10,2022, 14:59 PM IST

Trending news