Covid 19 out 1 News

ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત કથળી, મુંબઈથી તબીબ બોલાવાયા
Jul 10,2020, 9:57 AM IST
ગુજરાતની તમામ RTO આજથી શરૂ થઈ, કન્ટેઈનમેન્ટ એરિયાના લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે
Jun 4,2020, 10:48 AM IST
પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ માટે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે શરૂ કર્યું એક નોખું અભિય
લોકડાઉનના સમયમાં માણસ ઘરમાં પૂરાયો અને અકળાઈને રહે છે. ત્યારે પક્ષીઓ તો આ વેદના વર્ષોથી સહી રહ્યાં છે. પક્ષીઓને પાંજરે પૂરાયેલા જોઈ રાજુલાના ધારાસભ્યને એક વિચાર એવો બંને ઘટનાઓને સાથે જોડી અને પક્ષીઓને આઝાદી માટે એક અભિયા ચલાવી છે, જેને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં એક દહેશત ફેલાઇ છે. લોકો ક્યાંકને ક્યાંક પોતાના જ ઘરમાં પૂરાઈ અને ગુંગળામણ અને ડરનો અહેસાસ કરી રહ્યા છે. આવું જવલ્લે જ અનુભવવા મળતું હોય છે. ત્યારે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે ઘરમાં પૂરાયેલા માણસની વેદનાને સાંભળી અને પાજંરે પુરાયેલા પક્ષી જે વર્ષોથી ગુલામીમાં જીવન પસાર કરે છે તો એ અબોલ પક્ષીઓની વેદના કેવી હશે આ વિચારને તેમણે સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ મુકી અને પક્ષીઓની આઝાદી માટેની એક મુહિમ શરૂ કરી છે, જેને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
May 30,2020, 11:50 AM IST
પાકિસ્તાનમાં લગ્નમાં ગયેલા ગોધરાના 26 લોકો ફસાયા, પરત આવવા સરકાર પાસે માંગી મદદ
લોકડાઉન ખૂલતા જ અન્ય દેશો, રાજ્યો અને શહેરોમાં ફસાયેલા લોકો પોતાના વતન પરત ફરી રહ્યાં છે. ત્યારે ગોધરાના 26 વ્યક્તિઓ પાકિસ્તાનના કરાંચીમાં ફસાયા છે. 2 માસ અગાઉ આ તમામ લોકો કરાંચીમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. પરંતુ લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં જ અટવાયા છે. ગોધરાના તેમના સ્વજનોના ઘણા પ્રયત્નો કરવા છતાં નથી પણ તેઓ વતન પરત આવી શક્તા નથી. પરિવાર વગર જ પાકિસ્તાનમાં અટવાયેલા લોકોએ રમજાન અને ઈદ પણ ત્યાં મનાવી હતી. પરત ફરવા માટે 4 જૂનની અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકીટનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હતું. પરંતુ સમયાંતરે ભારત અને પાકિસ્તાનમાં લોકડાઉનની અલગ અલગ તારીખો જાહેર થતા ગોધરાના આ નાગરિકો અટવાયા છે. ત્યારે તેઓએ એક વીડિયો જાહેર કરીને લાહોરથી વાઘા બોર્ડર ક્રોસ કરવાના પ્રશ્ન અંગે ભારત સરકાર મદદ કરે તેવી અપીલ કરી છે. આ અંગે તેઓએ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટને મેઈલથી અનેક વખત જાણ કરી છે, પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી. 
May 30,2020, 9:44 AM IST
કચ્છમાં લોકડાઉનમાં 100થી વધુ પરિવારોમાં લગ્નની શરણાઈ વાગી
લોકડાઉનમાં સોશિયલ ડિન્સિંગનું પાલન કરાવીને લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે, ત્યારે આ છૂટનો સૌથી વધુ લાભ કચ્છીઓએ લીધો છે. કચ્છમાં લોકડાઉન દરમિયા 100થી વધુ લગ્નની શરણાઈ વાગી છે. મામલતદાર દ્વારા લગ્નની મંજૂરી અપાઈ છે. લગ્નમાં માત્ર 50 લોકોની હાજરી વચ્ચે વિધી યોજાઈ હતી. ક્યાંક ધામધૂમથી, તો ક્યાંક સાદગીથી લગ્ન યોજાયા હતા. કોરાનાની મહામારી કારણે લોકડાઉન લાગી જતા લગ્ન સહિતના અનેક કાર્યક્રમો રદ્દ કરવાની ફરજ પડી હતી. લોકડાઉન-4માં લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. જેથી કચ્છમાં 100થી વધુ લોકોને લગ્ન માટેની મંજુરી આપવામાં આવી હતી. ભૂજમાં 10થી વધુ અને માંડવીમાં 25 સહિત ગાંધીધામ, મુન્દ્રા તેમજ અન્ય તાલુકાઓમાં લગ્ન યોજાયા છે. 
May 30,2020, 8:56 AM IST
1 જૂનથી સુરતના 61 ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની પરમિશન અપાઈ
સુરતના રિંગ રોડની ટેક્સટાઈલ માર્કેટને ક્લસ્ટરમાંથી રેડ ઝોનમાં મૂકવામાં આવી છે. 140 પૈકી ની 61 માર્કેટ ને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. અન્ય 12 માર્કેટ ક્લસ્ટર વિસ્તારમાં આવતી હોવાથી પરવાનગી આપવામાં આવી નથી. અન્ય માર્કેટોને ખોલવા અંગે પરવાનગી મેળવવા મનપા કમિશનરને રજૂઆત કરાશે. સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશનને મનપા દ્વારા યાદી આપવામાં આવી છે. માર્કેટ ખોલવા અને અને અન્ય બાર માર્કેટ બંધ રાખવા અંગેની યાદી સોંપવામાં આવી છે. ક્લસ્ટર વિસ્તારને અડીને આવેલી માર્કેટને પરવાનગી આપવામાં નથી આવી. જ્યારે કે 61 માર્કેટને હાલ પરવાનગી આપવામાં આવી છે. 
May 30,2020, 8:05 AM IST
1 જૂનથી ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં 34 ટ્રેન દોડશે, આ રહ્યું લિસ્ટ
કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા 1 જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા 1 જૂનથી ગુજરાતમાંથી 34 જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધુ 24 ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે પણ એક ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ 34 ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. 
May 29,2020, 9:36 AM IST
લોકડાઉનમાં પહેલીવાર ગુજરાતના એરપોર્ટ ધમધમતા થશે, આવતીકાલે 3 શહેરોમાંથી ફ્લાઈટ ઉડાન ભ
ટ્રેન, હાઈવે રાબેતા મુજબ ચાલુ થયા બાદ હવે ગુજરાતમાં એરપોર્ટ પણ ધમધમતા શરૂ થઈ જશે. અમદાવાદ, સુરત અને વડોદરાથી આવતીકાલે ફ્લાઈટ ફરીથી કાર્યરત થઈ જશે. અમદાવાદમાં સોમવારથી ફ્લાઈટ શરૂ થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે amc તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ફક્ત એરપોર્ટ માટે કેબ-ટેક્સી સેવાને મંજૂરી અપાઈ છે. એરપોર્ટ એરિયા પૂર્વ વિસ્તાર હોવા છતાં શરતો આધીન મંજૂરી અપાઈ છે. અમદાવાદ એરપોર્ટ આવતીકાલથી ફ્લાઈટ શરૂ થઈ જશે. સવારે 6 વાગ્યાથી માત્ર ડોમેસ્ટિક ફલાઇટ ઓપરેશન શરૂ કરવામાં આવશે. તેના માટે એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા છે. એક ફલાઈટમાં આશરે 120 થી 130 જેટલા મુસાફરો સફર કરી શકશે.
May 24,2020, 16:15 PM IST
પાન-મસાલાના શોખીનોએ હદ કરી, રાજકોટમાં મહિલાઓએ બીડી લેવા લાઈન લગાવી
May 19,2020, 15:58 PM IST
રાજકોટવાસીઓ એક સ્ટેપ આગળ નીકળ્યા, લોકડાઉન ખૂલતા જ કપડા-જલેબી-ગાઠિયાની દુકાનોમાં ભીડ
May 19,2020, 13:17 PM IST

Trending news