Assembly session News

વિધાનસભા સત્ર: કોંગ્રેસનાં 4 અને ભાજપના 2 ધારાસભ્યોને કોરોના પોઝિટિવ
  કોરોનાની મહામારી વચ્ચે 21 મી સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે. આ સત્રમાં 24 જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. જો કે સત્ર પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો અને ભાજપના 2 ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ટેસ્ટિંગમાં કોંગ્રેસનાં ચાર ધારાસભ્યો પુનાભાઇ ગામીત (વ્યારા),  નાથાભાઇ પટેલ (ધાનેરા) વિરજી ઠુમ્મર (લાઠી) જશુભાઇ પટેલ (બાયડ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ભાજપના  પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ અને સાણંદના ધારાસભ્ય કનુ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આ તમામ ધારાસભ્યોને વિધાનસભામાં એન્ટ્રી નહી આપવામાં આવે. તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 
Sep 20,2020, 22:09 PM IST
વિધાનસભા સત્ર અગાઉ 4 ધારાસભ્યો કોરોના પોઝિટિવ, જાણો કાલે કઇ રીતે થશે સદનની કાર્યવાહી
Sep 20,2020, 19:34 PM IST
Godhrakand Report: નાણાવટી પંચના રિપોર્ટ બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહાર
વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગ (CAG)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ત્યારે આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
Dec 11,2019, 16:10 PM IST

Trending news