Godhrakand Report: નાણાવટી પંચના રિપોર્ટ બાદ કોંગ્રેસના સરકાર પર પ્રહાર

વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગ (CAG)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ત્યારે આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.

Trending news