Airlift News

ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ, તમારા ઘરે કોઈ વિદેશથી આવ્યું હોય તો ખાસ વાંચી લો આ સમા
દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (corona virus) પગપેસારો કરી રહ્યો છે. જોકે, ગુજરાત હજી સુધી કોરોનાના કહેરથી દૂર છે. પરંતુ રાજ્યભરમાં કોરોના (corona india) ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં એપિડેમિક એક્ટ (Epidemic Diseases Act) લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘર બહાર નહિ નીકળી શકે. વ્યક્તિ બીમાર હોય કે ન હોય, તેને 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. આ એક્ટ અંતર્ગત હેલ્થ વિભાગને ફરિયાદ મળશે તો તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશથી આવેલી વ્યક્તિ બહાર નીકળે તો તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડી દેવાશે. આ વ્યક્તિ ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહિ. પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે.
Mar 16,2020, 8:26 AM IST
કોરોના વાઈરસ: જાપાનના તટે ઊભેલા શિપમાં ફસાયેલા 119 ભારતીયોને એરલિફ્ટ કરાયા
Feb 27,2020, 8:39 AM IST

Trending news