શામળાજી News

અમદાવાદથી હિંમતનગર જતા શ્રમિકો અરવલ્લી પહોંચ્યા તો હદ સીલ હતી, કર્યો હોબાળો
May 13,2020, 10:27 AM IST
ઠાકોરજીના દર્શન માટે આખી રાત ડાકોર મંદિરની બહાર બેસી રહ્યા હતા ભક્તો
હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. તો બપોર બાદ ભીડમાં ઘટાડો થયો હતો.
Mar 9,2020, 17:15 PM IST
એક ડરને કારણે બનાસકાંઠાના આ ગામમાં વર્ષોથી હોળી ઉજવાતી નથી
બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળી ન પ્રગટવાની પરંપરા આજે પણ એક યથાવત છે. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે. આ ઐતહાસિક ગામમાં 207 વર્ષ પહેલા હોળી પ્રગટાવાતી હતી. પરંતુ તે સમય અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી અને ગામનાં ઘણા ઘરો આગની ઝપેટમાં આવીને ખાખ થઈ ગયા હતા. જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા હતા. આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું, જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે. આ આગમાં ભારે તબાહી સર્જાઈ હતી. આગ લાગ્યાના વર્ષો બાદ પણ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવાનો પ્રયત્ન કર્યો તો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકો એ બંધ કરી દીધું છે.
Mar 9,2020, 11:55 AM IST
હોળી પર ગુજરાતના ત્રણ મંદિરોના કરો એકસાથે દર્શન....
હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. ત્યારે હજારો ભક્તોએ ભગવાન શામળીયાની સાથે હોળીનાં અબીલ ગુલાલના રંગે રંગાઈ હોળી પર્વે ભગવાન શામળીયાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. જોકે કોરોના વાયરસને પગલે યાત્રાધામ ખાતે સાવચેતીના પગલાનો અભાવ જોવા મળ્યો હતો.
Mar 9,2020, 11:50 AM IST
પંચમહાલ જિલ્લામાં સોળે કળાએ ખીલ્યો કેસૂડો, ધૂળેટીમાં થશે રંગોની રેલમછેલ
હાલ પંચમહાલ જિલ્લો અને તેના જંગલ કેસરિયા રંગમાં રંગાયેલ જોવા મળે છે. કેમ કે હાલ પંચમહાલના જંગલોમાં કેસૂડો સોળે કળાયે ખીલેલો જોવા મળી રહ્યો છે. હોળીનો તહેવાર નજીકમાં હોય ત્યારે કુદરત દ્વારા ખાખરાના વૃક્ષ પર જાણે સુંદરતાનો અતિરેક થતી હોય એમ ખાખરાના વૃક્ષ પર કેસૂડાંના ફૂલ આવે છે. આ ફૂલોથી જાણે સમગ્ર પંચમહાલ મહેકી ઉઠે છે. હોળીના તહેવારમાં ધૂળેટી રમવા માટેના કુદરતી રંગ આપનાર ફૂલ એટલે કેસૂડો. કેસૂડાના ફૂલને મસળીને તેમાંથી નીકળતા રંગની ધૂળેટી રમવી પંચમહાલ જિલ્લા માટે સામાન્ય છે. આજકાલ બજારમાં મળતા સિન્થેટિક કલર જે શરીરને નુકશાનકારક હોય છે. તેના કરતા કેસૂડો રંગમાં શરીરને અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક છે. કેસૂડામાં રહેલા આયુર્વેદિક ગુણથી અનેક રોગો સામે પણ ફાયદો મળે છે.
Mar 9,2020, 11:10 AM IST

Trending news