લેટેસ્ટ સમાચાર News

YES BANK: ભગવાનનાં કરોડો રૂપિયા પણ ફસાયા?આ રીતે સ્હેજમાં બચી ગયા !
યસ બેંક (Yes Bank) પર છવાયુ સંકટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ પર બિલ્કુલ બેઅસર રહેશે. તિરુપતિ મંદિરે બેંકમાં 1300 કરોડ રૂપિયાની એફડી કરાવી હતી. જે આ વર્ષે માર્ચમાં મેચ્યોર થવાની હતી, પરંતુ મંદિર તંત્રએ ગત્ત વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં જ યસ બેંક પાસેથી પોતાનાં પૈસા ઉપાડી લીધા હતા. મંદિરનાં ટ્રસ્ટનાં નવા ચેરમેનની નિયુક્તિ બાદ મંદિર તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.  એપ્રીલ 2019ની વાત છે જ્યારે પ્રાઇવેટ બેંકોમાં રાષ્ટ્રીય બેંકોની અપેક્ષા વધારે વ્યાજદર મળતો હોવાથી તિરુપતિ દેવસ્થાનમે પોતાનાં 5 હજાર કરોડ રૂપિયા અલગ અલગ બેંકોમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેના હેઠળ 1300 કરોડ રૂપિયા ઇંડસ ઇંડ બેંકમાં, 1300 કરોડ રૂપિયા સાઉથ ઇન્ડિયન બેંકમાં, 600 કરોડ એક્સિસ બેંકમાં અને 130 કરોડ રૂપિયા ફેડરલ બેંકમાં જમા કરાવવામાં આવ્યા હતા.
Mar 7,2020, 22:15 PM IST
પિતાએ 2 પુત્રોને પીવડાવ્યું ઝેર, જુઓ વીડિયો
કપરાડાની મુખ્ય બજારમાં ટારઝન ફોટો સ્ટુડિયો ચલાવતા સોહિલ ખાન નામના ઈસમની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફોટો સ્ટુડિયોમાં સોહિલના બે બાળકોના મૃતદેહો મળી આવતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પિતાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. તો બંને બાળકોના મૃતદેહ નીચે જોવા મળ્યા હતા. બંને બાળકોના મૃતદેહના ગળાના ભાગે ઈજાના નિશાન સાથે મોઢામાંથી ફીણ જેવું પ્રવાહી પર નીકળતું દેખાયું હતું. પિતાએ બંને બાળકોને કઈ પીવડાવી કે ખવડાવી પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોય તેવી પ્રાથમિક રીતે જોવા મળી રહ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.
Dec 17,2018, 10:35 AM IST
SBI એ ATM માંથી કેશ લેવા માટે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો...
Oct 1,2018, 15:31 PM IST

Trending news