પૌત્ર News

રાહુલ ગાંધીના નિવેદનથી કોંગ્રેસ મુશ્કેલીમાં!, વીર સાવરકરના પૌત્ર કાળઝાળ
સ્વતંત્રતા સેનાની વીર દામોદર સાવરકર (Veer Savarkar)  પર નિવેદનબાજીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઘેરાતા જોવા મળી રહ્યાં છે. હવે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે તેમના પર બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી છે. રણજીત સાવરકરે (Ranjit Savarkar) ઝી મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળીને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની વાત કરશે. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો માંડશે. અત્રે જણાવવાનું કે મુંબઇમાં ઠેર ઠેર રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીનું પૂતળું પણ ફૂંકવામાં આવ્યું છે. 
Dec 15,2019, 16:40 PM IST

Trending news