રોહિત શર્માની કેપ્ટનશિપથી નાખુશ છે ગાવસ્કર, એક નાની ભૂલ પર કરી ટકોર!

સુનિલ ગાવસ્કરના જણાવ્યા અનુસાર મોહલીમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કપ્તાની કરતા ભારતના કેપ્ટન રોહિત શર્માથી એક નાની ભૂલ થઈ ગઈ હતી. આખી દુનિયા જ્યાં રોહિત શર્માની કેપ્ટનશિપની પ્રશંસા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર રોહિતની કેપ્ટનશિપથી નાખુશ જોવા મળી રહ્યા છે.

રોહિત શર્માની કેપ્ટનશિપથી નાખુશ છે ગાવસ્કર, એક નાની ભૂલ પર કરી ટકોર!

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇનિંગ અને 222 રનથી માત આપી બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0 થી લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયા શ્રીલંકા પર ત્રણ દિવસની અંદર ઇનિંગ અને 222 રનોની મોટી જીત નોંધાવવામાં સફળ રહી છે. પ્રથમ ઇનિંગમાં 174 રન પર સમેટાઈ ગયા બાદ શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગમાં 178 રન પર સમેટાઈ ગઈ હતી. આ મોટી જીત બાદ આખી દુનિયા જ્યાં રોહિત શર્માની કેપ્ટનશિપની પ્રશંસા કરી રહી છે ત્યારે બીજી તરફ પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કર રોહિતની કેપ્ટનશિપથી નાખુશ જોવા મળી રહ્યા છે.

રોહિતની કેપ્ટનશિપ નાખુશ ગાવસ્કર
સુનિલ ગાવસ્કરના જણાવ્યા અનુસાર મોહલીમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં કપ્તાની કરતા ભારતના કેપ્ટન રોહિત શર્માથી એક નાની ભૂલ થઈ ગઈ હતી. સુનિલ ગાવસ્કરને રોહિત શ્માની કેપ્ટનશિપમાં મોટી ભૂલ જણાવતા કહ્યું કે રવિન્દ્ર જાડેજા જેવા ઘાતક બોલરને બોલિંગ માટે ખૂબ મોડો લાવવામાં આવ્યો. સુનિલ ગાવસ્કરે કહ્યું તમે દલીલ કરી શકો છો કે રવિન્દ્ર જાડેજાને પ્રથમ ઇનિંગમાં ખૂબ મોડો લાવવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો ન હતો કારણ કે ટીમ બે દિવસ બાકી રહેતા જીતી ગઈ હતી. તેથી તે નાની-નાની વાતો છે જેને લોકો સામે લાવશે.

આ નાની ભૂલને લઇ કરી ટકોર!
સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા સુનિલ ગાવસ્કરે કહ્યું, 'રોહિત શર્માએ જે રીતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે, તે શાનદાર હતી. રોહિત શર્માની કેપ્ટનશિપ માટે હું તેને 10 માંથી 9.5 આપુ છું. તમે હંમેશા અડધા માર્કને બાજુ પર રાખો છો. જણાવી દઈએ કે, પ્રથમ ટેસ્ટમાં જીત સાથે જ ભારતે શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 222 રને હરાવીને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે.

બેંગલુરુમાં 12 માર્ચથી ડે-નાઈટ ટેસ્ટ
સુનિલ ગાવસ્કરે વધુમાં કહ્યું, 'રોહિત શર્માની કેપ્ટનશિપની શરૂઆત ખૂબ જ સારી હતી, કારણ કે જ્યારે તમે ત્રણ દિવસમાં જીતી જાઓ છો ત્યારે તે દર્શાવે છે કે તમારી ટીમ સારી રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમારી ટીમ ફિલ્ડિંગ કરતી હતી ત્યારે બોલિંગમાં કેવી રીતે ફેરફાર કરવો, ક્યાં ફિલ્ડિંગ લાગુ કરવી. ખૂબ પ્રભાવશાળી હતું. કેચ જ્યાં ફિલ્ડરો હતા ત્યાં બરાબર જઈ રહ્યા હતા, તેમને વધુ ખસેડવાની જરૂર નહોતી. તે સંપૂર્ણ ક્ષેત્ર પ્લેસમેન્ટ હતું. ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 12 માર્ચથી બેંગલુરુમાં શરૂ થશે, જે ડે-નાઈટ ફોર્મેટમાં ગુલાબી બોલથી રમાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news