Mahashivratri:શિવરાત્રિ પહેલા મેળા માટે રેલવેએ આપી ભેટ, આજથી સ્પેશિયલ ટ્રેનો શરૂ

Mahashivratri Mela Special Train: રેલવેના જણાવ્યા અનુસાર જૂનાગઢથી કાંસિયાનેશ તરફ જતી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 11.10 કલાકે ઉપડશે. તે જ સમયે, આ ટ્રેન લગભગ 1.20 વાગ્યે કાંસિયાનેશ પહોંચશે.

Mahashivratri:શિવરાત્રિ પહેલા મેળા માટે રેલવેએ આપી ભેટ, આજથી સ્પેશિયલ ટ્રેનો શરૂ

Mahashivratri Mela Special Train: શિવરાત્રિ એટલે દિવાધી દેવ મહાદેવની પૂજા અને આરાધનાનો પર્વ. ભોળાનાથને ભજવાનો પર્વ. શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે શિવરાત્રી 8 માર્ચ 2024ના રોજ ઉજવવામાં આવશે. શિવરાત્રિ પહેલાં જ રેલવે વિભાગ તરફથી એક સારા સમાચાર મળી રહ્યાં છે. જેને કારણે ભાવિક ભક્તોનો ઉત્સાહ બમણો થઈ જશે.

શિવભક્તોને મળી મોટી ભેટઃ
ગુજરાતના જૂનાગઢમાં 04.03.2024 થી 09.03.2024 દરમિયાન મહાશિવરાત્રી મેળો યોજાય છે. આ મેળાને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રેલવે દ્વારા જૂનાગઢ અને કાંસિયાનેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. એટલું જ નહીં શિવરાત્રિના મેળા દરમિયાન લોકોને કોઈ જ અગવડતા નહીં પડે. ખાસ કરીને મુસાફરો મેળા દરમિયાન સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકશે. આ કારણોસર 7 જોડી વધારાના કોચ લગાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

શું હશે ટ્રેનોને સમય?
રેલવેના જણાવ્યા અનુસાર જૂનાગઢથી કાંસિયાનેશ તરફ જતી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી સવારે 11.10 કલાકે ઉપડશે. તે જ સમયે, આ ટ્રેન લગભગ 1.20 વાગ્યે કાંસિયાનેશ પહોંચશે.

ક્યાં ઉભી રહેશે ટ્રેન?
જો આપણે પાછા ફરવાની વાત કરીએ તો આ ટ્રેન કાંસિયાનેશથી બપોરે 01.40 વાગ્યે ઉપડશે અને લગભગ 3.50 વાગ્યે જૂનાગઢ પહોંચશે. આ ટ્રેનના સ્ટોપેજ તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર ખાતે રહેશે.

નોંધી લો આ ટ્રેન નંબર-
ટ્રેન નંબર 22957/22958 વેરાવળ-અમદાવાદ-વેરાવળમાં 3 જનરલ કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથમાં 3 જનરલ કોચ લગાવવામાં આવશે, ટ્રેન નંબર 09514/09513 વેરાવળ-રાજકોટ-વેરાવળમાં 4 જનરલ કોચ, ટ્રેન નંબર 09522/09521 વેરાવળ-રાજકોટ-વેરાવળમાં 3 જનરલ કોચ લગાવવામાં આવશે. . તેવી જ રીતે ટ્રેન નંબર 09539/09540 અમરેલી-જૂનાગઢ-અમરેલી મીટરગેજમાં 4 જનરલ કોચ લગાવવામાં આવશે.

ટ્રેનમાં રખાયો વધારાનો કોચ-
આ ઉપરાંત રેલવે ટ્રેન નંબર 09531/09532 જૂનાગઢ-દેલવાડા-જૂનાગઢ મીટરગેજમાં 4 જનરલ કોચ અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-વેરાવળ-ભાવનગરમાં 2 જનરલ કોચ લગાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news