ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 બેઠક પર થશે મતદાન, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં

7 મે, મંગળવારે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતની 25 બેઠકો સહિત કુલ 95 બેઠકો પર મતદાન યોજાવાનું છે. આ તબક્કામાં પણ ઘણા દિગ્ગજ નેતાઓનું ભાગ્ય દાવ પર છે. 

ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 બેઠક પર થશે મતદાન, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારો મેદાનમાં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના બે તબક્કામાં 180 બેઠકો પર ઉમેદવારોનું નસીબ ઈવીએમમાં કેદ થઈ ગયું છે.... હવે ત્રીજા તબક્કામાં 13 રાજ્યની 95 લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થશે.... ત્રીજા તબક્કામાં કોંગ્રેસ પાસે ગુમાવવા માટે કંઈ નથી... જ્યારે બીજેપીએ દેશમાં સત્તાની હેટ્રિક લગાવવા માટે પોતાની જીતેલી બેઠકોને બચાવી રાખવાનો પડકાર છે... આ ફેઝના મતદાન પછી અડધાથી વધારે લોકસભા બેઠકની ચૂંટણી પૂરી થઈ જશે... આ ત્રણ તબક્કામાં જેનું પલડું ભારે રહેશે તેના નામે 2024ની સત્તાની ચાવી હશે....

આ તમામ દ્રશ્યો ત્રીજા તબક્કાના મતદાન પહેલાં મતદારોને રિઝવવા માટેના રાજકીય પક્ષોના છે... કેમ કે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જતાં રાજકીય પક્ષો ચૂંટણી રેલી કે જંગી જનસભાઓ કરી શકશે નહીં... જેના કારણે મતદારોને પોતાના પક્ષમાં લાવવા માટે રાજકીય પક્ષોએ વિવિધ માધ્યમોથી પ્રચાર કર્યો.

ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 13 રાજ્યની 95 લોકસભા બેઠક પર મતદાન થશે... જેના પર કરીએ તો....
અસમની 4 બેઠક પર મતદાન થશે....
બિહારની 5 બેઠક પર મતદાન થશે....
છત્તીસગઢની 7 બેઠક પર મતદાન થશે....
ગોવાની 2 બેઠક પર મતદાન થશે....
ગુજરાતની તમામ 26 બેઠક પર મતદાન થશે...
કર્ણાટકની 14 બેઠક પર મતદાન થશે....
મધ્ય પ્રદેશની 9 બેઠક પર મતદાન થશે...
મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન થશે...
ઉત્તર પ્રદેશની 10 બેઠક પર મતદાન થશે...
પશ્વિમ બંગાળની 4 બેઠક પર મતદાન થશે....
દાદરા નગર હવેલીની 2 બેઠક પર મતદાન થશે...
જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક પર મતદાન થશે...

પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે... ત્યારે રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે.... તો રાજકીય પક્ષો આ વખતની ચૂંટણીમાં પરિણામ બદલાશે તેવો દાવો કરી રહ્યા છે...

ત્રીજા તબક્કાના મતદાનમાં અનેક મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે... જેમાં મધ્ય પ્રદેશમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક કેન્દ્રીય મંત્રી લડી રહ્યા છે.... વિદિશા બેઠક પરથી શિવરાજસિંહ ચૌહાણ, ગુના બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા તો રાજગઢ બેઠક પરથી કોંગ્રેસના દિગ્વિજયસિંહ ચૂંટણી લડી રહ્યા છે.... 

ત્રીજા તબક્કામાં રાજકીય પક્ષોના કયા મુખ્ય ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે... તેના પર નજર કરીએ તો...

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી કર્ણાટકની ધારવાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી મેદાનમાં છે.

કોંગ્રેસના અધીર રંજન ચૌધરી બંગાળની બરહામપુર બેઠક પરથી લડી રહ્યા છે.

ટીએમસીના યુસુફ પઠાણ બંગાળની બરહામપુર બેઠક પરથી મેદાનમાં છે.

દક્ષિણ ગોવા બેઠક પરથી ભાજપના પલ્લવી ડેમો ચૂંટણી મેદાનમાં છે.

અસમની ધુબરી બેઠક પરથી AIUDFના અધ્યક્ષ બદરુદ્દીન અજમલ લડી રહ્યા છે.

મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે મેદાનમાં છે.

બારામતી બેઠક પર અજીત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે...

2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાની 95 બેઠકમાંથી ભાજપને 72 બેઠક મળી હતી... જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠક જીતી શકી હતી... અન્ય પક્ષોને 9 બેઠક મળી હતી.... આ વખતે કોંગ્રેસને કર્ણાટકથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતથી રાજસ્થાન સુધી પોતાની બેઠક વધવાની આશા છે... ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતે ત્રીજા તબક્કામાં કોનું પલડું ભારે રહે છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news