ગત 5 વર્ષમાં કોઇ પણ મંદિર પર આતંકવાદીઓની મલિન નજર પડી નથી: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બનારસનાં ફક્કડપણના કારણે જ આ ફકીર રમી ગયો છે

ગત 5 વર્ષમાં કોઇ પણ મંદિર પર આતંકવાદીઓની મલિન નજર પડી નથી: PM મોદી

વારાણસી : મેગા રોડ શો અને ગંગાજીની આરતી બાદ વડાપ્રધાને એખ સભાને પણ સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, પાંચ વર્ષ પહેલા જ્યારે હું કાશી આવ્યો હતો તો મે કહ્યું હતું કે, માં ગંગાએ મને બોલાવ્યા છે. અમને એક સાંસદ તરીકે કાશીના જ્ઞાન સાથે જોડાવા અને તેને આગળ વધારવાની તક મળી. હું તેના માટે બાબા વિશ્વનાથ અને માં ગંગાને પ્રતિપુર્ણ શ્રદ્ધાભાવથી નમન કરુ છું. 

કાશીએ મને માત્ર એમપી નથી બનાવ્યા પરંતુ વડાપ્રધાન બનવાનો પણ આશિર્વાદ આપ્યો. મને 130 કરોડ ભારતીયોનાં વિશ્વાને શક્તિ આપી. વડાપ્રધાને પોતાના સંસદીય ક્ષેત્રમાં મૈયાએ એવો દુલાર આપ્યો, કાશીનાં ભાઇઓ બહેનોએ એટલો પ્રેમ આપ્યો કે બનારસનાં ફક્કડપનમાં આ ફકીર પણ રમી ગયો. આ મારો સૌભાગ્ય છે કે કાશીમાં વેદ પરંપરાને જ્ઞાનનાં વિશ્લેષણ અને તાર્કિક અનુભવો સાથે જોડાઇ શક્યો.

કાશીનો આ પ્રસાદ મને પોતાનાં સામાજિક અને રાજનીતિક જીવનને તાર્કિ બનાવવાની શક્તિ આપે છે. કાશીની ધાર્મિક આસ્થાથી મહાત્મા બુદ્ધ, ગૌસ્વામી, તુલસીદાસ, સંત રવિદાસ, કબીરદાસ, રામાનંદ જેવા વિચારકોએ પ્રેરણા લીધી. સત્ય, ન્યાય, અહિંસા અને જ્ઞાનની આ પ્રેરણાએ પણ વૈશ્વિક સ્તર પર આ મુલ્યોની સાથે ઉભા થવાનું શક્તિ આપી છે.

આતંકવાદ મુદ્દે ગત્ત સરકાર પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં સંકટ મોચન મંદિર સહિત આપણા આસ્થાનાં કેન્દ્રો પર 2005થી 2014 સુધી સતત આકંદવાદી હુમલા થયા. અહીં આરતી કરી રહેલા નિર્દોષ ભક્તોની કાયરતાપુર્ણ હત્યાઓને યાદ કરીને આજે પણ રુંવાટા ઉભા થઇ જાય છે. તે સમયની સરકાર પર હુમલા બાદ મંત્રણા ઉપરાંત કંઇ જ નહોતા કરતા. ગત્ત 5 વર્ષમાં કોઇ મંદિર પર આતંકવાદી હુમલો નથી થયો.

આતંકવાદીઓએ જણાવી દીધું કે નવું ભારત સહેતું નથી, મુંહતોડ જવાબ આપે છે. માનવતાનો નકલી છોગ પહેરીને ફરનારા લોકો પર પણ લગામ કસી. અમે આતંકવાદીઓને જણાવી દીધું કે નવું ભારત સહેતું નથી, મુંહતોડ જવાબ મળે છે. વડાપ્રધાન મોદીનાં અનુસાર હું દેશહિત ઉપરાંત કોઇ પણ અન્ય વ્યક્તિનું હિત નહી વિચારું. 

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે વારાણસી યાત્રા પર પહોંચ્યા હતા. અહીં તેમણે સાંજે 7 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ગંગા પુજા કરી. ગંગા પુજા બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમાં તેમણે કહ્યું કે, આ શહેરમાં મને એટલો પ્રેમ મળ્યો કે મારા જેવો ફકીર પણ રમ ગયો. આ શહેરમાં મને એમપી બનાવ્યા અને વડાપ્રધાન પણ.

વડાપ્રધાન મોદીએ વારાણસીની રેલીમાં એકવાર ફરીથી આતંકવાદની વિરુદ્ધ પોતાનાં આકરા વલણને દોહરાવ્યું. તેમણે કહ્યું કે, અમે આતંકવાદની વિરુદ્ધ પોતાનાં આકરા વલણને યથાવત્ત રાખ્યું. ગત્ત પાંચ વર્ષમાં ક્યાયં બોમ્બ વિસ્ફોટ નથી સંભળાયા. અમે આ દિશામાં સંપુર્ણ સખ્તી સાથે પગલા ઉઠાવ્યા. ક્યારેક કાશીમાં મંદિર પણ આતંકવાદનો શિકાર બન્યા. જો કે અમે આતંકવાદ તમામ સ્થળોથી ઉખેખી ફેંક્યા. હવે માત્ર આતંકવાદ જમ્મુ કાશ્મીરથી થોડા હિસ્સામાં બચેલા છે. તેને પણ ઉખેડી ફેંકવામાં આવશે. 

વડાપ્રધાન મોદીએ ફરી એકવાર પોતાના જુના અંદાજમાં જોવા મળ્યાં
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 5 વર્ષ પહેલા જ્યારે કાશીની ધરતી પર મે પગ મુક્યો, ત્યારે મે કહ્યું હતું કે, માં ગંગાએ મને બોલાવ્યો છે. મૈયાએ એવો દુલાર આપ્યો, કાશીનાં બહેન-ભાઇઓએ એટલો પ્રેમ આપ્યો કે બનારસનાં ફક્કડપણમાં આ ફકીર રમી ગયો. કાશીએ મને માત્ર એમપી જ નહી વડાપ્રધાન બનવાનો આશિર્વાદ પણ આપ્યો. મને 130 કરોડ ભારતીયોનાં વિશ્વાસ અને શક્તિ આપી. આ મારુ સૌભાગ્ય છે કે કાશીની વેદ પરંપરાને જ્ઞાનનાં વિશ્લેષણ તથા તાર્કિક અનુભવો સાથે જોડાઇ શક્યાં. 

વડાપ્રધાને કહ્યું કે, સમર્થ, સમ્પન્ન અને સુખી ભારત માટે વિકાસની સાથે સાથે સુરક્ષા મહત્વનું છે. સાથીઓ મારો મત રહ્યો છે કે પરિવર્તન ત્યારે જ સાર્થક અને સ્થાયી હોય છે, જ્યારે જનમન બદલાય છે. જે અંગે જન મનને સાધવા માટે તપસ્યાકરવી પડે છે. સમર્થ, સંપન્ન અને સુખી ભારત માટે વિકાસ સાથે સાથે સુરક્ષા મહત્વની છે. સાથીઓ, મારો તે મત રહ્યું કે પરિવર્તન ત્યારે જ સાર્થક અને સ્થાયી હોય છે, જ્યારે જન મન બદલાય છે, આ જનમનને સાધવા માટે તપસ્યા કરવી પડે છે. 

હું માનુ છું કે આ સમયે ભારત પણ તપસ્યાનાં દોરમાં છે. તેઓ પોતાની જાતને સાધી રહ્યા છે કે આ સાધવામાં અમે એક સેવક છે, સાધક છીએ. કાશીનાં વિકાસ મુદ્દે અમે જે દિશામાં વધી રહ્યા છીએ તેના ત્રણ પાસાઓ છે. એક આધ્યાત્મિક, બીજુ વ્યાવહારીક અને ત્રીજુ માનવીય. આ અલગ અલગ પણ છે અને એક બીજા સાથે જોડાયેલા પણ છે. જે સપનું મનમાં છે તે પુરુ થઇ ગયું.

વડાપ્રધાને કહ્યું કે, ગંગાજીમાં વહેતા અનેક નાળાઓ બંધ કરી દેવામાં આવી ચુક્યા છે. પ્રવાસી સમ્મેલન દરમિયાન અહીં આવેલા સેંકડો ભારતવંશીયોએ ગંગાજળથી જે પ્રકારે આચમન કર્યું, તેમાં સ્પષ્ટ છે કે ગંગાની સફાઇ મુદ્દે હવે તમામ સવાલ ધોવાઇ રહ્યા છે. આપણી આસ્થાનું પ્રતિક બાબા વિશ્વનાથ અને ગંગામાની સેવાની તક મળવી ખુબ જ સૌભાગ્ય છે. માં ગંગાને નિર્મળ અને અવિરલ બનાવવાની દિશામાં અમે ઘણા આગળ વધી ચુક્યા છીએ. ગંગાજી પર દેશનો પહેલો જળમાર્ગ બનવો, વારાણસીમાં ક્રુઝ જહાજોને ચલાવવા અમારા પર્યટન અને વેપારનાં સારા સંકેત છે. માં ગંગાના ઇમાનદાર સેવક આપણા મલ્લાહ સાથીઓને તેનો લાભ મળવો નિશ્ચિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news