CM યોગી પર પ્રિયંકા ગાંધીનો હુમલો, દિનેશ શર્મા બોલ્યા- ભગવાનું મહત્વ સમજે ગાંધી પરિવાર

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભગવા કપડા અને હિન્દુત્વ વિરુદ્ધ પ્રિયંકા ગાંધીનું નિવેદન વિવાદાસ્પદ છે. 

CM યોગી પર પ્રિયંકા ગાંધીનો હુમલો, દિનેશ શર્મા બોલ્યા- ભગવાનું મહત્વ સમજે ગાંધી પરિવાર

લખનઉઃ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્માએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ભગવા કપડા અને હિન્દુત્વ વિરુદ્ધ પ્રિયંકા ગાંધીનું નિવેદન વિવાદાસ્પદ છે. મને લાગે છે કે તે ભગવા રંગ અને તેના મહત્વ વિશે સંપૂર્ણ રીતે અજાણ છે. તેમને દેશની સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ વિશે જાણકારી નથી. 

પ્રિયંકા ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે, આ દેશ કૃષ્ણ અને ભગવાન રામનો છે, જે કરૂણા અને ત્યાગનું પ્રતિક છે. પરંતુ યોગી જી બદલાની વાત કરે છે. તેઓ ભગવા કપડા પહેરે છે, પરંતુ આ ભગવો તેમનો વ્યક્તિગત નથી, પરંતુ હિન્દુ ધર્મનું પ્રતિક છે. તેવામાં તેમણે હિન્દુ ધર્મનું મહત્વ સમજવું જોઈએ. 

પ્રિયંકા ગાંધીએ પોતાની પત્રકાર પરિષદમાં શું કહ્યું....
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને કહ્યું કે, આજે સવારે અમારી તરફથી રાજ્યપાલને એક પત્ર મોકલવામાં આવ્યો છે, તે સંપૂર્ણ પત્ર છે, જેનો ઉલ્લેખ મીડિયામાં થઈ રહ્યો છે. પ્રદેશ સરકાર તંત્ર અને પોલીસ દ્વારા ઘણી જગ્યાએ અરાજકતા ફેલાય છે, તેમણે એવા પગલા ભર્યાં છે જેનો કોઈ ન્યાય કે કાયદાકીય આધાર નથી. 

પ્રિયંકા બોલી કે હું બિજનોર ગઈ હતી, ત્યાં બે બાળકોના મોત થયા છે. એક યુવક કોફી મશીન ચલાવતો હતો, તે ઘરની બહાર ઉભો હતો. તે માત્ર દૂધ લેવા માટે ગયો હતો, પરંતુ ત્યાં પર તેનું મોત થયું હતું. બાળકની લાશ ન આપવામાં આવી, પરિવારને કેસ કરવાની ધમકી આપવામાં આવી છે. આ સિવાય પ્રિયંકાએ સુલેમાનની વાત કરી જે યૂપીએસસીની તૈયારી કરી રહ્યો હતો. 

લખનઉના ઓફિસરની કહાની....
પ્રિયંકા ગાંધી બોલ્યા કે લખનઉના દારાપુરીમાં 77 વર્ષના નિવૃત ઓફિસરની ઘરેથી ધરપકડ કરવામાં આવી, જે આંબેડકરવાદી હતા. તેમણે પ્રદર્શનને લઈને એક ફેસબુક પોસ્ટ કરી, પછી લોકોને સાવધાની વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી. પરંતુ પોલીસ તેમના ઘરે આવી અને ધરપકડ કરીને લઈ ગઈ હતી. 

આ દરમિયાન તેમણે એક કિસ્સો સંભળાવતા કહ્યું કે, 10 વર્ષનું બાળક, 16 વર્ષની બાળકી આજે એકલી રહે છે, કારણ કે તેમની માતા માત્ર રસ્તા પર જારી પ્રદર્શનનો વીડિઓ લઈ રહી હતી, પરંતુ પોલીસે તેમની પણ ધરપકડ કરી લીધી હતી. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન કહ્યું કે, પ્રદેશમાં 5500 લોકો કસ્ટડીમાં છે, 1100ની ધરપકડ થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news