ભૂકંપના મોટા ઝટકા પણ સહન કરી શકે છે દેશનો સૌથી લાંબો રોડ-રેલ બ્રિજ, PM કરશે ઉદ્દઘાટન

આ બ્રિઝને બનાવાથી નોર્થ ઇસ્ટના વિસ્તારમાં અવર-જવર પહેલા કરતા સહેલી થઇ જશે. આ સિવાય સેનાની દ્રષ્ટિ પણ પહોંચી શકે છે. આમતો આ બ્રિજની અનેક ખાસિયતો છે. અને એવી પણ વિશેષતાઓ છે, કે આ બ્રિજ પર ખાસ બનાવે છે.

ભૂકંપના મોટા ઝટકા પણ સહન કરી શકે છે દેશનો સૌથી લાંબો રોડ-રેલ બ્રિજ, PM કરશે ઉદ્દઘાટન

ગુવહાટી: બ્રહ્મપુત્ર નદી પર બનેલા દેશના સૌથી લાંબા રેલ અને રોડ બ્રિજ તૈયાર થઇ ગયો છે. તેનું ઉદઘાટન 25 ડિસેમ્બરે પીએમ મોદી કરવા જઇ રહ્યા છે. આ બ્રિઝને બનાવાથી નોર્થ ઇસ્ટના વિસ્તારમાં અવર-જવર પહેલા કરતા સહેલી થઇ જશે. આ સિવાય સેનાની દ્રષ્ટિ પણ પહોંચી શકે છે. આમતો આ બ્રિજની અનેક ખાસિયતો છે. અને એવી પણ વિશેષતાઓ છે, કે આ બ્રિજ પર ખાસ બનાવે છે.

એ વાત તો આપણે બધા જાણીએ છે, કે નોર્થ ઇસ્ટના વિસ્તારમાં ભૂકંપનો પણ ખતરો રહે છે. પરંતુ આ બ્રિજને તેનો કોઇ પણ ફર્ક પડતો નથી. રિક્ટર સ્કેલ પર આશરે 7.0 ની તીવ્રતાનો ભૂકંપ પણ જો આવે તો પણ આ બ્રિજને કોઇ પણ પ્રકારનું નુકશાન નહિ થાય. આ બ્રિજ ભારતનો પહેલો પૂર્ણત વેલ્ડેજ બ્રિજ છે. 

આ બ્રિજ 4.98 કિમી લાંબો છે. આ ડિબ્રુગઢ અને ધેમાજીના એક સાથે જોડે છે. આ આશરે 50 લાખ લોકોના જીવનને સહેલુ કરી દેશે. અને આ બ્રિજ અસમના ઉપરોક્ત ભાગને અરૂણાચલ સાથે જોડશે.

ભૂકંપનો રહે છે સૌથી વધારે ખતરો 
આ પ્રોજેક્ટના ડાયરેક્ટર આરવીઆર કિશોરનું કહેવું છે, કે આ બ્રિજ ભૂકંપ રોધી જોનમાં આવે છે. ટેકનિકલી વાત કરીએ તો આ સિસમિક જોન-vમાં આવે છે. અહિયા પર 7 અથવા તેના કરતા વધારે તીવ્રતા વાળો ભૂકંપ આવવોએ સામાન્યા વાત છે. એવામાં આ બ્રિજને એવી રીતે જ તૈયાર કરવામાં આવ્યો છે. આ સિવાય આ બ્રિજ પર 1700 ટન વજન ગુજારી શકાય છે. યુદ્ધની સ્થિતિમાં અહિયાથી એકદમ ભારે ટેંક પણ નિકાળી શકાય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news