ભારતના આ 8 મહત્વના રણનીતિકાર...જેમણે PM મોદી સંગ શી જિનપિંગ સાથે કરી વાતચીત

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને જિનપિંગ વચ્ચે સવારે કોવલમના તાજ ફિશરમેન્સ હોટલના કોવ રિસોર્ટમાં  વાતચીત સાથે થઈ. આ બેઠક કોઈ પણ પ્રતિનિધિમંડળ વગર થઈ હતી. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી સુધી બેસીને વાતચીત કરી. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક થઈ. પ્રતિનિધિમંડળ સ્તરની આ બેઠક દરમિયાન નિવેદન બહાર પાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-ચીન એક બીજાના મતભેદો  દૂર કરશે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ભારતમાં સ્વાગતથી અભિભૂત છું. આ બેઠકમાં ચીન સાથે ભારતના 8 પ્રમુખ રણનીતિકારોએ વાતચીતમાં ભાગ ભજવ્યો હતો. 
ભારતના આ 8 મહત્વના રણનીતિકાર...જેમણે PM મોદી સંગ શી જિનપિંગ સાથે કરી વાતચીત

નવી દિલ્હી: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને જિનપિંગ વચ્ચે સવારે કોવલમના તાજ ફિશરમેન્સ હોટલના કોવ રિસોર્ટમાં  વાતચીત સાથે થઈ. આ બેઠક કોઈ પણ પ્રતિનિધિમંડળ વગર થઈ હતી. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી સુધી બેસીને વાતચીત કરી. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક થઈ. પ્રતિનિધિમંડળ સ્તરની આ બેઠક દરમિયાન નિવેદન બહાર પાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-ચીન એક બીજાના મતભેદો  દૂર કરશે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ભારતમાં સ્વાગતથી અભિભૂત છું. આ બેઠકમાં ચીન સાથે ભારતના 8 પ્રમુખ રણનીતિકારોએ વાતચીતમાં ભાગ ભજવ્યો હતો. 

આવો જાણીએ આ કોણ 8 ટોચના અધિકારીઓ હતાં જેમણે પીએમ મોદી સાથે શી જિનપિંગ અને ચીની પ્રતિનિધિમંડળ સાથે મહત્વની બેઠક કરી. 

1. વિદેશ મંત્રી ડો.એસ જયશંકર

2. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ

— ANI (@ANI) October 12, 2019

3. વડાપ્રધાનના પ્રધાન સચિવ પી કે મિશ્રા

4. વિદેશ સચિવ વિજય ગોખલે

5. ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રી

જુઓ LIVE TV

6. વડાપ્રધાન કાર્યાલયમાં જોઈન્ટ સેક્રેટરી ગોપાલ બાગલે

7. જોઈન્ટ સેક્રેટરી (ઈસ્ટ ઈન્ડિયા) નવીન શ્રીવાસ્તવ

8. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમાર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news