મહારાષ્ટ્રનો જનાદેશ સ્પષ્ટ છે, અતિ નહીં, ઉન્માદ નહીં...નહીંતર ખતમ થઈ જશો: શિવસેના

શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Maharashtra Assembly Elections 2019) બાદ આજે છપાયેલા સંપાદકીયમાં ઈશારા ઈશારામાં ભાજપને તેની ઓછી થયેલી તાકાતનો અહેસાસ કરાવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રનો જનાદેશ સ્પષ્ટ છે, અતિ નહીં, ઉન્માદ નહીં...નહીંતર ખતમ થઈ જશો: શિવસેના

મુંબઈ: શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો (Maharashtra Assembly Elections 2019) બાદ આજે છપાયેલા સંપાદકીયમાં ઈશારા ઈશારામાં ભાજપને તેની ઓછી થયેલી તાકાતનો અહેસાસ કરાવવામાં આવ્યો છે. શિવસેનાએ આ પરિણામોને ચોંકાવનારા ગણાવ્યાં છે. સંપાદકીયમાં જ્યાં ભાજપની આલોચના કરવામાં આવી છે ત્યાં રાજ્યમાં એનસીપી અને કોંગ્રેસની વધતી તાકાતનો પણ ઉલ્લેખ કરાયો છે. 

શિવસેનાએ કહ્યું છે કે મહારાષ્ટ્રની જનતાનું વલણ સીધુ અને સ્પષ્ટ છે. અતિ નહીં, ઉન્માદ નહીં નહીંતર સમાપ્ત થઈ જશો. એવો જનાદેશ ઈવીએમ મશીનથી બહાર આવ્યો. ઈવીએમથી ફક્ત કમળ જ બહાર આવશે એવો આત્મવિશ્વાસ મુખ્યમંત્રી ફડણવીસને છેલ્લી ક્ષણ સુધી હતો પરંતુ 164માંથી 63 બેઠકો પર કમળ ખીલ્યું નહીં. સમગ્ર મહારાષ્ટ્રના પરિણામો જુઓ તો શિવસેના-ભાજપ યુતિને સરકાર બનાવવા લાયક બહુમત મળ્યો છે. 

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે આંકડાનો ખેલ સંસદીય લોકતંત્રમાં ચાલતો રહે છે. યુતિનો આંકડો સ્પષ્ટ બહુમતનો છે. શિવસેના અને ભાજપને એક સાથે લગભગ 160નો આંકડો મળ્યો છે. મહારાષ્ટ્રની જનતાએ નક્કી કરીને આ પરિણામ આપ્યા છે. પછી તેને મહાજનાદેશ કહો કે કઈ બીજુ, આ જનાદેશ છે, મહાજનાદેશ નથી, તેને સ્વીકાર કરવો પડશે. 

શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં 2014ની સરખામણીએ કઈંક અલગ પરિણામ આવ્યાં છે. 2014માં યુતિ નહતી. 2014માં યુતિ હોવા છતાં બેઠકો ઓછી થઈ. બહુમત મળ્યું પરંતુ કોંગ્રેસ-એનસીપી મળીને 100 બેઠકો સુધી પહોંચી ગયા. એક મજબુત વિરોધ પક્ષ તરીકે મતદારોએ તેમને જવાબદારી સોંપી છે. આ એક પ્રકારે સત્તાધીશોને મળેલો બોધપાઠ છે. ધૌસ, દહેશત અને સત્તાની મસ્તીથી પ્રભાવિત ન થતા જનતાએ જે મતદાન કર્યું તે માટે તેમને અભિનંદન!

જુઓ LIVE TV

કોંગ્રેસ પાસે કોઈ નેતૃત્વ ન હતું. આ કમજોર કોંગ્રેસને રાજ્યમાં 44 બેઠકો મળી ગઈ. ભાજપે એનસીપીમાં એવી સેંધ લગાવી કે પવારની પાર્ટીમાં કઈ બચશે જ નહીં. એવો માહોલ બની ગયો હતો. પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી મોટી છલાંગ રાષ્ટ્રવાદીએ લગાવી છે અને 50નો આંકડો પાર કરી લીધો. ભાજપ 122માંથી 102 પર આવી ગયો. 

જોવા જઈએ તો આ પરિણામો ચોંકાવનારા છે, બીજા શબ્દોમાં કહીએ તો અતિ ઉત્સાહમાં ન આવી જાઓ, સત્તાની ધોંસ દેખાડશો તો યાદ રાખજો! રાજ્યની જનતાએ એવો જનાદેશ આપ્યો છે. સત્તાનો દુરઉપયોગ કરીને રાજકારણ રમતા કોઈને ખતમ કરી શકાય નહીં અને 'અમે કરીએ તે કાયદો' તે ન ચાલે. 

શિવસેનાએ કહ્યું કે ચૂંટણી પૂરી થઈ અને અમે મહારાષ્ટ્રના ચરણોમાં અમારી સેવા શરૂ કરવા જઈ રહ્યાં છીએ. કોણ હાર્યું કોણ જીત્યું તેના પર મંથન પછી કરીશું. મહારાષ્ટ્રની ભાવનાઓને કચડીને આગળ વધી શકાય નહીં અને મરાઠી ભાવનાઓની છાતી પર પગ રાખીને કોઈ શાસન કરી શકે નહીં. પોતાની વાતો પર અટલ રહેનારા રાજા તરીકે છત્રપતિ શિવરાયની ખ્યાતિ હતી. આ રાજ્ય શિવરાયની પ્રેરણાથી જ ચાલશે!

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news