સતત છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસે પીએમ મોદી આપશે ભાષણ, વાજપેયીની કરશે બરાબરી

વડાપ્રધાન મોદી ગુરુવારે સ્વતંત્રતા દિવસે ભાષણ આપવાની સાથે જ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી લેશે, એવું કહેવાય છે કે જમ્મુ-કાશ્મીર પર તેમની સરકારે લીધેલા નિર્ણયથી માંડીને અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધીના વિવિધ મુદ્દા પર તેઓ ચર્ચા કરશે 

સતત છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસે પીએમ મોદી આપશે ભાષણ, વાજપેયીની કરશે બરાબરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સતત છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસે ભાષણ આપશે. પ્રચંડ જનાદેશ પછી સત્તામાં પુનરાગમન કર્યા પછી લાલ કિલ્લા પર આ તેમનું પ્રથમ ભાષણ હશે. એવું કહેવાય છે કે, પીએમ મોદી જમ્મુ-કાશ્મીર પર તેમની સરકારે લીધેલા નિર્ણયથી માંડીને અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધીના વિવિધ મુદ્દા પર ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 15 ઓગસ્ટના પોતાના સંબોધનમાં સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ જેમ કે 'સ્વચ્છ ભારત', 'આયુષમાન ભારત' અને ઊભારતના અંતરિક્ષમાં પ્રથમ 'માનવ મિશન'ની જાહેરાત કરતા આવ્યા છે. 

પાર્ટીના નેતાઓનું માનવું છે કે, તાજેતરમાં થયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ બહુમત અને ત્યાર પછી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી વડાપ્રધાનના ભાષણની દિશા પહેલાથી જ નિર્ધારિત થઈ ચૂકી છે. 

વાજપેયીની બરાબરી કરશે મોદી 
ગુરૂવારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા દિવસે ભાષણ આપવાની સાથે જ પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી લેશે. વાજપેયી પ્રથમ નેતા હતા, જેમણે 1998થી 2003 દરમિયાન સતત 6 વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. એવું કહેવાય છે કે, પીએમ મોદી આર્થિક મંદી અંગે પણ પોતાના વિચાર રજુ કરશે. આ વખતે તેઓ જલ સંરક્ષણના વિષયને પણ પ્રમુખતાથી ઉઠાવી શકે છે. 

41 સ્કૂલની 35000 છાત્રાઓ લેશે ભાગ 
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, દિલ્હીની 41 સરકારી સ્કૂલની 3500 છાત્રાઓ, 5 હજાર દર્શ અને 17 સ્કૂલના 700 એનસીસી કેડેટ પીએમ મોદીના ભાષણ સ્થળની સામે 'નયા ભારત' શબ્દોની રચના કરશે. સાથે જ 'એક્તામાં મજબુતી'ને તેઓ રેખાંકિત કરશે.

વડાપ્રધાનને સલામી આપનારી ટૂકડીમાં એક અધિકારી અને સેના, નૌકાદળ અને વાયુસેનાના 24-24 જવાન શામેલ થશે. સલામી લીધા પછી વડાપ્રધાન મોદી લાલ કિલ્લાની પ્રાચીર તરફ આગળ વધશે જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, તેમના સહયોગી મંત્રી શ્રીપદ યસોનાઈક, સેના પ્રમુખ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ માર્શળ બિરેન્દ્ર ધનોઆ અને નૌકાદળના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ તેમનું સ્વાગત કરશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news