હવે, નવજોત સિંહ સિદ્ધુના મુંબઈ ફિલ્મસિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગશે!

પુલવામા હુમલા અંગે આપેલા નિવેદન બાદ નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલી એક પછી એક વધી રહી છે, કોમેડી શોમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ હવે ફિલ્મસિટીમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધની સ્થિતિ પેદા થઈ છે 

હવે, નવજોત સિંહ સિદ્ધુના મુંબઈ ફિલ્મસિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગશે!

મુંબઈઃ પૂર્વ ક્રિકેટર, નેતા અને ટીવી શોમાં કામ કરતા નવજોત સિંહ સિદ્ધુ દ્વારા પુલવામા હુમલા અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ હવે તેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. તેના નિવેદન બાદ દેશભરમાં તેમના સામે હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું તો હવે મુંબઈની ફિલ્મસિટીમાં પણ તેમના પ્રવેશ પર પ્રતિબંધની સ્થિતિ ઊભી થઈ છે. જાણીતા કોમેડી શોમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ હવે સિદ્ધુને વધુ એક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ એટલે કે FWICEએ ફિલ્મસિટી મેનેજમેન્ટને એક પત્ર લખીને સિદ્ધુના ફિલ્મસિટીમાં પ્રવેશ પર પ્રતિબંધની માગ કરી છે. કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા બાદ પૂર્વ ક્રિકેટર અને એક કોમેડી શોમાં જજની ભૂમિકા ભજવનારા નવજોત સિંહ સિદ્ધુના વિવાદિત નિવેદનને ગંભીરતાથી લેતા FWICE દ્વારા આ પત્ર લખાયો છે. 

अगर करतारपुर गलियारे पर फैसला रद्द होता है तो आतंकवादियों का हौसला बढ़ेगा: सिद्धू

પત્રમાં લખાયું છે કે, તેઓ તેમના સ્ટૂડિયોમાં નવજોત સિંહ સિદ્ધુ અને પાકિસ્તાની કલાકારો તથા ગાયકોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવે અને તેમનું કોઈ પણ શૂટિંગ કરવાની મંજૂરી ન આપે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝમાં કુલ 29 યુનિનય છે અને તેના સભ્યોની સંખ્યા લાખોમાં છે. આ બધા જ લોકો ફિલ્મ અને ટીવી શો નિર્માણના વિવિધ એકમો સાથે જોડાયેલા છે. 

ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ સિદ્ધુ પાકિસ્તાનની તરફેણ કરતા જોવા મળ્યા હતા. તેમના આ નિવેદનથી દેશભરમાં લોકો નારાજ છે. આજકાલ સોશિયલ મીડિયા પર પણ સિદ્ધુનો જારદાર વિરોધ થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news