Loudspeaker Controversy રાજ ઠાકરેનો હુંકાર, 'જો લાઉડસ્પીકર ચાલુ રહેશે તો હનુમાન ચાલીસાના પાઠ પણ થશે'

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અઝાનનો વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે. રાજ ઠાકરે હજુ પણ પોતાના નિર્ણય પર મક્કમ છે જ્યારે બીજી બાજુ સરકાર પણ આ મુદ્દે પોતાના નિર્ણય પર અડગ છે. આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા. રાજ ઠાકરેએ ફરીથી એકવાર કહી દીધુ કે જ્યાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં ઉતરે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ થશે. તેમણે કહ્યું કે આ એક સામાજિક વિષય છે , તે ધાર્મિક નથી. જો તેને ધાર્મિક રંગ આપશો તો અમે પણ તે જ અંદાજમાં જવાબ આપીશું. 

Loudspeaker Controversy રાજ ઠાકરેનો હુંકાર, 'જો લાઉડસ્પીકર ચાલુ રહેશે તો હનુમાન ચાલીસાના પાઠ પણ થશે'

Raj Thackeray Press Conference: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અઝાનનો વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે. રાજ ઠાકરે હજુ પણ પોતાના નિર્ણય પર મક્કમ છે જ્યારે બીજી બાજુ સરકાર પણ આ મુદ્દે પોતાના નિર્ણય પર અડગ છે. આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા. રાજ ઠાકરેએ ફરીથી એકવાર કહી દીધુ કે જ્યાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં ઉતરે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ થશે. તેમણે કહ્યું કે આ એક સામાજિક વિષય છે , તે ધાર્મિક નથી. જો તેને ધાર્મિક રંગ આપશો તો અમે પણ તે જ અંદાજમાં જવાબ આપીશું. 

કાર્યકરોની ધરપકડ પર ભડક્યા રાજ ઠાકરે
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને લાઉડસ્પીકર વિવાદ પર પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે આ મુદ્દે અમે શાંતિથી વાત કરવા માંગીએ છીએ. પરંતુ સરકાર સમજતી નથી. સરકાર અમારા લોકોની ધરપકડ કરે છે. ધરપકડ કરવાથી શું મળશે. તેમણે કહ્યું કે હું એ નથી કહેતો કે અઝાન ન કરો. મસ્જિદમાં પ્રાર્થના ન કરો. મારો વિરોધ બસ એ છે કે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરો. તહેવારો પર મંજૂરી સાથે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો. તેમણે કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે 1400-1599 મસ્જિદોમાંથી 135 મસ્જિદો પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમ તોડીને લાઉડસ્પીકરથી અઝાન થઈ. મહારાષ્ટ્ર પોલીસ એ જણાવે કે તમે આ 135 મસ્જિદો પર શું કાર્યવાહી કરશો. તમે અમારા કાર્યકરોને પકડી રહ્યા છો. 

— ANI (@ANI) May 4, 2022

આખુ વર્ષ લાઉડસ્પીકરના ઉપયોગની વિરોધમાં
રાજ ઠાકરેએ કહ્યું કે મારો વિરોધ આખુ વર્ષ લાઉડસ્પીકરના ઉપયોગ સામે છે. મસ્જિદોને આખુ વર્ષ લાઉડસ્પીકરના ઉપયોગ માટે મંજૂરી કેવી રીતે આપી શકાય. અમે રાજ્યમાં શાંતિ ઈચ્છીએ છીએ. અમારું સ્પષ્ટ કહેવું છે કે મસ્જિદોમાંથી ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવો. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થવું જોઈએ. પ્રેસ કોન્ફરન્સમાં રાજ ઠાકરેએ કહ્યું કે અમે કાયદાનું પાલન કરાવી રહ્યા છીએ અને ફક્ત સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવીએ છીએ. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં 92 ટકા મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન થઈ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 50થી 55 ડેસીબેલથી વધુ અવાજમાં લાઉડસ્પીકર લગાવી શકાય નહીં. અમારો વિષય સમજવા બદલ આભાર. અમે હંમેશાથી કહીએ છીએ કે આ મુદ્દો ધાર્મિક નહીં પરંતુ સામાજિક છે. તેમણે એમ પણ કહ્યું કે જો મંદિરો પર (ગેરકાયદેસર લાઉડસ્પીકર) હોય તો તેને પણ કાઢો. 

— ANI_HindiNews (@AHindinews) May 4, 2022

250થી વધુ કાર્યકરોની અટકાયત
રાજ ઠાકરેએ કહ્યું કે અનેક જગ્યાઓ પર અમારા કાર્યકરોને નોટિસ મોકલવામાં આવી રહી છે અને તેમને અટકાયતમાં લેવાઈ રહ્યા છે તથા ધરપકડ થઈ રહી છે. સવારથી મને ફોન આવે છે. મહારાષ્ટ્ર બહારથી પણ ફોન આવે છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યાં મુજબ આ સમગ્ર મામલે લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે 250થી વધુ એમએનએસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news