સુહાગરાતે સાસરિયાંએ વહુને કહ્યું- દિકરાને થોડી તકલીફ છે, તું જીજાજી જોડે સૂઈ જા! નમાલો નીકળ્યો પતિ

સુહાગરાતે થઈ ગયો મોટો કાંડ! સામે આવી ગઈ સાસરિયાઓ અને પતિની હકીકત. વહુ રૂમમાં દૂધનો ખ્યાલ લઈને ગઈ તો રૂમમાં કોઈ નહોતું, સાસરિયાંઓએ આવીને વહુને કહ્યું તું જીજાજીની સાથે સંબંધ બાંધી લે.

સુહાગરાતે સાસરિયાંએ વહુને કહ્યું- દિકરાને થોડી તકલીફ છે, તું જીજાજી જોડે સૂઈ જા! નમાલો નીકળ્યો પતિ

Wedding Story: કેટલીકવાર એવા કેસો તમારી સામે આવે છે એ સ્ટોરીઓ આજની સમાજ વ્યવસ્થાને તાર તાર કરી મૂકે છે. જો તમારી સુહાગરાત મનાવવાની કેપેસેટી નથી તો તમે કોઈ છોકરીનું લગ્ન જીવન કેવી રીતે બરબાદ કરી શકો છો. તમામ રીતિ રિવાજો સાથે લગ્ન થયા પતિએ છોકરીની માંગ ભરીને પોતાની પત્ની બનાવી, સાત ફેરા પણ થયા અને વાજતે ગાજતે છોકરી પરણીને છોકરાને ઘરે ગઈ પણ ક્યારેય એના જીવનમાં સુહાગ રાત આવી જ નહીં. પરણ્યાના પ્રથમ દિવસે આખી રાત છોકરી પોતાના પતિની રાહ જોઈ રહી પણ એ રૂમમાં જ ના આવ્યો. લગ્ન કર્યા બાદ પણ પતિ સુહાગરાત ન ઉજવે ત્યારે કેવું દર્દ થાય એ દર્દ આ છોકરીએ ભોગવ્યું હતું. તમને જાણીને પણ નવાઈ લાગશે કે એક પતિ આ હદ સુધી દઈ શકે.

આખી રાત પરિણીતા રાહ જોતી રહી-
આ ફિલ્મી સ્ટોરી જેવી ઘટનાની વિગતો એ છે કે, લાલગંજના એક ગામની એક છોકરીના લગ્ન મુઝફ્ફરપુરના અયાચી ગામના રહેવાસી સુરેન્દ્ર સિંહના પુત્ર અભિષેક કુમાર સાથે 31 મે 2021ના રોજ સંપૂર્ણ હિંદુ વિધિ સાથે થયાં હતાં. લગ્ન બાદ યુવતી ત્યાંથી નીકળી સાસરે જતી રહી હતી. હવે એ રાત કે જેની દરેક નવપરિણીત યુગલ વર્ષોથી રાહ જુએ છે. અભિષેકની નવપરિણીત દુલ્હન પણ તે રાત એટલે કે લગ્નની રાતની રાહ જોઈ રહી હતી પણ અભિષેક આવ્યો જ નહીં. આખી રાત પૂરી થઈ છોકરી થાકીને સૂઈ ગઈ..

પતિ નપુસંક નીકળ્યો-
લગ્નની રાત્રે અભિષેક તેની પત્નીને તે પ્રેમ આપી શક્યો નહીં જેની તે રાહ જોઈ રહી હતી. જોકે તેની પત્નીએ આ વાતને નજરઅંદાજ કરી હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની પત્ની તેનો પ્રેમ પાછો મેળવી શકી ન હતી. તેનાથી નારાજ થઈને એક રાતે જ્યારે અભિષેકની પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની જીદ કરી ત્યારે તે રાત તેના જીવનની સૌથી કાળી રાત બની ગઈ. તેના કહેવા પ્રમાણે, તે જ રાત્રે તેને ખબર પડી કે તેનો પતિ નપુંસક છે.

નણંદના પતિ સાથે સંબંધ બાંધવા દબાણ-
આ વાતની જાણ સાસરિયાંઓને થતાં તેઓએ અભિષેકના જીજાજી સાથે શારીરિક સંબંધ બાંધી અને સંતાનપ્રાપ્તિ માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. અભિષેકનો પરિવાર કોઈક રીતે માત્ર વંશવેલાને આગળ વધારવા માગતો હતો. પરંતુ તેની પત્ની આ માટે રાજી ન હતી, જેના કારણે તેના સાસરિયાંઓએ તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આખરે એક દિવસ તક જોઈને અભિષેકની પત્ની તેના પિયરના ઘરે આવી અને તેના માતા-પિતાને તેની અગ્નિપરીક્ષા સંભળાવી, ત્યારબાદ આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પીડિતાએ ન્યાયની આજીજી કરતા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. સાસરિયાંને આ બાબતની ખબર હોવા છતાં તેમને છોકરીની જિંદગી બગાડી હતી. પતિ નપુંસક હોવાથી તેઓ નણંદના પતિ સાથે સુહાગરાત મનાવવા માટે દબાણ કરતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news