J&K: ઓપરેશન 'ઓલ આઉટ', સુરક્ષાદળોએ પુલવામાના અવંતીપોરામાં 6 આતંકીઓને ઠાર કર્યાં

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓના ખાત્મા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશન ઓલઆઉટમાં પુલવામાં જિલ્લામાં સેના અને સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.

J&K: ઓપરેશન 'ઓલ આઉટ', સુરક્ષાદળોએ પુલવામાના અવંતીપોરામાં 6 આતંકીઓને ઠાર કર્યાં

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓના ખાત્મા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઓપરેશન ઓલઆઉટમાં પુલવામાં જિલ્લામાં સેના અને સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સેના અને સુરક્ષાદળોએ પુલવામાના અવંતીપોરામાં 6 આતંકીઓને ઠાર કર્યા છે. 

સુરક્ષાદળોને મધરાતે સૂચના મળી હતી કે અવંતીપોરાના આરમપુરા વિસ્તારમાં 2-3 આતંકીઓ છૂપાયેલા છે. પરંતુ સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા ફાયરિંગમાં ત્યાં 3થી વધુ આતંકીઓ છૂપાયેલા હોવાનું જાણવા મળ્યું. આ એન્કાઉન્ટરમાં 6 આતંકીઓનો ખાતમો કરાયો. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું જે હવે પૂરું થઈ ગયું છે. 

આ એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષાદળોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે માર્યા ગયેલા 6 આતંકીઓ ઝાકિર મૂસા જૂથના હતાં. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news