Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 483 લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાના 41,383 કેસ નોંધાયા હતા અને 507 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 
Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35 હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 483 લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાના 41,383 કેસ નોંધાયા હતા અને 507 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. 

40 હજારથી નીચે ગયા કોરોનાના દૈનિક કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 35,342 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 3,12,93,062 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,05,513 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 38,740 લોકો રિકવર થયા છે.આ સાથે કોરોનાથી કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 3,04,68,079 થઈ છે. 

Total cases: 3,12,93,062
Total recoveries: 3,04,68,079
Active cases: 4,05,513
Death toll: 4,19,470

Total vaccination: 42,34,17,030 pic.twitter.com/F6CfWWI219

— ANI (@ANI) July 23, 2021

મોતનો આંકડો ઘટ્યો
સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાથી 483 લોકોના જીવ ગયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 4,19,470  પર પહોંચી ગયો છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં દેશમાં 507 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ ચાલે છે. અત્યાર સુધીમાં રસીના કુલ 42,34,17,030 ડોઝ આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news