West Bengal Politics: કોંગ્રેસને ઝટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત TMC માં સામેલ

પૂર્વ કોંગ્રેસ સાંસદ અભિજીત મુખર્તીએ ટીએમસીનો ખેસ પહેરી લીધો છે. થોડા દિવસ પહેલા તેમણે બંગાળમાં સામે આવેલા નકલી વેક્સિનેશન કેમ્પના મામલામાં મુખ્યમંત્રી મમતાનો બચાવ કર્યો હતો. 

West Bengal Politics: કોંગ્રેસને ઝટકો, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત TMC માં સામેલ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીતે સોમવારે કોલકત્તામાં આયોજીત એક કાર્યક્રમમાં ટીએમસીનો ખેસ પહેરી લીધો છે. થોડા દિવસ પહેલા અભિજીતે ટીએમસીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે ટીએમસી તેમને જંગીપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડાવી શકે છે. મુખર્જી 2019માં જંગીપુર સીટથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. 

ટીએમસી જોઇન કર્યા બાદ અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ જે રીતે હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે બીજી પાર્ટીઓના સમર્થનથી સમગ્ર દેશમાં આમ કરી શકશે.

— ANI (@ANI) July 5, 2021

કોંગ્રેસે મને કોઈ પદ આપ્યું નહીં
અભિજીત મુખર્જીએ કહ્યુ કે, પ્રાથમિક સભ્ય સિવાય કોંગ્રેસ પાર્ટીના કોઈ સમૂહમાં મને સામેલ કરવામાં ન આવ્યા અને કોઈ પદ આપવામાં આવ્યું નહીં. તેથી હું એક સૈનિકના રૂપમાં ટીએમસીમાં સામેલ થયો છું. હું પાર્ટીના આદેશો પ્રમાણે કામ કરીશ. અખંડતા અને ધર્મનિરપેક્ષતાને બનાવી રાખવા માટે કામ કરીશ.

પિતાની સીટથી બે વખત રહ્યા છે સાંસદ
અભિજીત મુખર્જીના રાજકીય કરિયરની વાત કરીએ તો તેઓ રાજનીતિમાં આવ્યા પહેલા સરકારી નોકરી કરતા હતા. પ્રણવ મુખર્જીના રાષ્ટ્રપતિ બન્યા બાદ જંગીપુર લોકસભા સીટ ખાલી થી. 2012માં કોંગ્રેસની ટિકિટ પર અભિજીત અહીંથી પ્રથમવાર પેટાચૂંટણી જીતી સાંસદ બન્યા. 2014 લોકસભા ચૂંટણીમાં તેઓ આ સીટ પરથી ફરી જીતવામાં સફળ રહ્યા. પરંતુ 2019ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. તેમના પિતા પ્રણવ મુખર્જી આ સીટથી 2004 અને 2009માં જીત્યા હતા. 

નકલી વેક્સિનેશન કેમ્પ પર કર્યો હતો મમતાનો બચાવ
હાલમાં કોલકત્તામાં નકલી વેક્સિનેશન કેમ્પનો મામલો સામે આવ્યો હતો. વિપક્ષે આ માટે મમતા સરકારને જવાબદાર ઠેરવી પરંતુ અભિજીતે તેમનો બચાવ કર્યો હતો.પોતાના ટ્વીટમાં મુખર્જીએ લખ્યુ કે- કોઈ વ્યક્તિ વિશેષની ખોટી હરકત માટે પશ્ચિમ બંગાળ અને મમતા બેનર્જીને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી. જો આમ છે તો વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદી સાથે જોડાયેલા મામલા માટે પ્રધાનંત્રી મોદીને જવાબદાર ઠેરવી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news