હવે અમેરિકન છાત્રો એન્જિનિયરિંગ કરવા આવશે ભારત! સરકાર આપશે 33 લાખની સ્કોલરશિપ

હવે ઉલટી ગંગા વહેવાની છે. ભારતીય છાત્રો અમેરિકા ભણવા માટે  કંઈ પણ કરવા તૈયાર હોય છે ત્યારે અમેરિકન છાત્રો ભારતમાં એન્જિનિયરિંગ ભણવા ભારત આવે તેવી સંભાવના છે. સરકારે 33 લાખ રૂપિયા સબસીડિની જાહેરાત કરી છે. 

હવે અમેરિકન છાત્રો એન્જિનિયરિંગ કરવા આવશે ભારત! સરકાર આપશે 33 લાખની સ્કોલરશિપ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત સરકારે ક્વાડ (Quad)સ્કોલરશિપની જાહેરાત કરી છે, જેના દ્વારા હવે અમેરિકન વિદ્યાર્થીઓ પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા ભારત આવી શકશે. 4 કરોડથી વધુની શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દરેક વિદ્યાર્થીને લગભગ 33 લાખ રૂપિયા મળશે. આ શિષ્યવૃત્તિ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ 4 વર્ષનું અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કરી શકશે.

કોણ અરજી કરી શકે છે?
ક્વાડ શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થશે જેઓ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ક્વાડ દેશોના નાગરિક છે. આ ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ આપી શકાય છે. અહેવાલો અનુસાર, ક્વાડ સ્કોલરશિપ હેઠળ દરેક વિદ્યાર્થીને 40 હજાર ડોલર એટલે કે લગભગ 33 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળશે. જો કે, કયા વિદ્યાર્થીઓ ક્વાડ સ્કોલરશીપ માટે પાત્ર બનશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

અમેરિકા નહીં આ દેશોના છાત્રોને પણ મળશે લાભ-
ભારતીય વિદ્યાર્થીઓ મોટાભાગે વિદેશ ભણવા જાય છે, જેમાં અમેરિકાનું નામ ટોચ પર છે. અહીં તેઓ એન્જિનિયરિંગ કે બિઝનેસ/મેનેજમેન્ટ જેવા પ્રોગ્રામ્સનો અભ્યાસ કરવા જાય છે, પરંતુ એવું ભાગ્યે જ સાંભળવા મળે છે કે અમેરિકન વિદ્યાર્થીઓ પણ ભણવા માટે ભારતમાં આવે છે, પરંતુ હવે એવું થશે. ટૂંક સમયમાં અમેરિકન વિદ્યાર્થીઓ પણ ભારતની એન્જિનિયરિંગ કોલેજોમાં અભ્યાસ કરતા જોવા મળશે. વાસ્તવમાં, સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે, જેનો લાભ માત્ર અમેરિકન વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ મળશે.

વિદેશી છાત્રોને મોટી તક-
ભારતે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે $5 લાખ એટલે કે રૂ. 4 કરોડથી વધુ મૂલ્યની 50 ક્વાડ સ્કોલરશિપની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી કોલેજોમાં 4-વર્ષનો અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી શકશે. ખરેખર, આ ક્વાડ સ્કોલરશિપની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ડેલવેરમાં ક્વાડ સમિટ ચાલી રહી છે અને પીએમ મોદીએ પણ આ સમિટમાં ભાગ લીધો છે.

ક્વોડ શિષ્યવૃત્તિ કોણ આપશે?
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન એટલે કે IIE દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને ક્વાડ સ્કોલરશિપ આપવામાં આવશે, જેની મદદથી તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં માસ્ટર અથવા ડોક્ટરલ અભ્યાસ કરી શકશે. જો કે, આ શિષ્યવૃત્તિ વિશે બીજી સારી બાબત એ છે કે ભારત સરકાર વિદેશી વિદ્યાર્થીઓને અહીં ભણવાની તક જ નહીં આપે પરંતુ તેમને અભ્યાસ માટે અમેરિકા પણ મોકલશે. સ્નાતક પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ જ માસ્ટર્સ અને ડોક્ટરેટ કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news