TMCના ધારાસભ્યનું કોરોનાને કારણે થયું નિધન, CM મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તમોનાશ ઘોષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત હતાં. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતાં. તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો છે. 

TMCના ધારાસભ્યનું કોરોનાને કારણે થયું નિધન, CM મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તમોનાશ ઘોષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત હતાં. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતાં. તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો છે. 

— Mamata Banerjee (@MamataOfficial) June 24, 2020

મમતા બેનરજીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ખુબ ખુબ દુ:ખી, ફાલ્ટાથી 3 વાર ધારાસભ્ય, અને 1998થી પાર્ટીના કોષાધ્યક્ષ તમોનાશ ઘોષે આપણેને છોડીને જવું પડ્યું. છેલ્લા 35 વર્ષથી તેઓ લોકો અને પાર્ટી પ્રત્યે સમર્પિત હતાં. તેમણે પોતાના સામાજિક કાર્યોના માધ્યમથી ખુબ યોગદાન આપ્યું. 

જુઓ LIVE TV

સીએમ મમતા બેનરજીએ કહ્યું કે તેમણે એક ખાલીપણું છોડ્યું છે. જેને ભરવું ખુબ મુશ્કેલ બનશે. અમારા બધા તરફથી, તેમની પત્ની ઝરણા, તેમની બે પુત્રીઓ અને શુભચિંતકો પ્રત્યે હાર્દિક સંવેદનાઓ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news