BSPએ સંમ્મેલન ભરી 2019માં માયાવતીને PM બનાવવાનો સંકલ્પ લીધો

2019માં વિપક્ષ એકતાના નામે ખેંચતાણ કરી રહ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશમાં માયાવતીએ સંમ્મેલન કરી પોતાની PM પદ માટે ઉમેદવારી નોંધાવી

BSPએ સંમ્મેલન ભરી 2019માં માયાવતીને PM બનાવવાનો સંકલ્પ લીધો

લખનઉ : 2019માં ભાજપની વિરુદ્ધ વિપક્ષી એકતાનાં પ્રયાસો વચ્ચે ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીએ મોટો દાવ રમ્યો છે. સોમવારે રાજધાની લખનઉમાં પાર્ટી નેતાઓની બેઠક યોજાઇ હતી. જેમાં માયાવતીને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. લખનઉમાં કોઓડિનેટર અને સીનયિર કાર્યકર્તાઓની મીટિંગમાં માયાવતીનું નામ સિંગલ પોઇન્ટ એજન્ડા હેઠળ રાખવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે 2019ની સામાન્ય ચૂંટણી બાદ માયાવતીને દેશના વડાપ્રધાન બનાવવાનાં છે. 

આ પહેલીવાર છે જ્યારે લખનઉમાં સૌથી મોટા ઓડિટોરિયમ ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા, પરંતુ મંચ પર માયાવતી નહોતા. આ દરમિયાન પાર્ટીનાં રાષ્ટ્રીય કોઓર્ડિનેટર વીર સિંહ અને જયપ્રકાશ સિંહે માયાવતીને વડાપ્રધાન તરેકી ઉમેદવાર કાર્યકર્તાઓ સામે વાક મુકવામાં આવી અને તેમને લક્ષ્ય આપવામાંઆવ્યું. મંચથી બોલનારા તમામ નેતાઓએ તે વાતને મહત્વ આપ્યું કે, પાર્ટી કૈડરને માત્ર એક લક્ષ્યાંક માટે કામ કરવાનું છે અને તે બહનજીકને 2019માં વડાપ્રધાન બનાવાય. એટલે કે પાર્ટીને મહત્તમ સીટો જીતવાની હોય છે, જેના કારણે માયાવતીનો વડાપ્રધાન બનવાની રાહ બની શકે. 

કાર્યક્રમની શરૂઆત બંન્ને નેશનલ કોઓર્ડિનટરને મુકુટ પહેરાવીને કરવામાં આવી. મંચથી બોલતા હાલમાં જ એમએલસી બનાવાયેલ ભીમરાવ આંબેડકરે 1993ના ગઠબંધનની યાદ અપાવી અને 2019માં એકવાર ફરીથી તે જ રીતે ગઠબંન કરવાની વાત કહી. તેમણે એમ પણ કહ્યું કે, બહેન માયાવતીને દેશનાં આગામી વડાપ્રધાન બનાવવાનાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news