દારૂ કૌભાંડમાં દિલ્લીના CM કેજરીવાલને ED નું સમન્સ, 2 નવેમ્બરે થશે પૂછપરછ

Arvind Kejriwal: ફરી એકવાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ ચર્ચામાં આવ્યું છે. આ વખતે ઈડી એટલેકે, ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્લીના સીએમ કેજરીવાલને દારૂના કૌભાંડ કેસમાં સમન્સ પાઠવ્યું છે.

દારૂ કૌભાંડમાં દિલ્લીના CM કેજરીવાલને ED નું સમન્સ, 2 નવેમ્બરે થશે પૂછપરછ

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે. દારૂ કૌભાંડમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના દારૂ કૌભાંડની ગરમી આખરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. EDએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

દિલ્હી એક્સાઇઝ કેસ ચર્ચામાં આવી ગયો છે. કારણકે, આ વખતે છેક મુખ્યમંત્રી સુધી રેલો આવ્યો છે. દિલ્હીના દારૂ કૌભાંડની ગરમી આખરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે. EDએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

સિસોદિયા ઉપરાંત સંજય સિંહ પણ જેલમાં છે-
EDએ 4 ઓક્ટોબરે દારૂ નીતિ કૌભાંડમાં AAP સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. EDની ટીમે સવારે 7 વાગે દિલ્હીમાં સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા, જે લગભગ 10 કલાક સુધી ચાલી હતી. દરોડા દરમિયાન સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે 5 ઓક્ટોબરે તેને રૂઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેને 10 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. બાદમાં આ રિમાન્ડ ફરી લંબાવવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news