POWER OF PROTIN: જો તમે આ રીતે PANEER ખાશો તો તમારે પ્રોટીન પાવડરની નહીં પડે જરૂર!

ડાયેટ એક્સપર્ટ ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર કાચા પનીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોલાઇટ્સ, વિટામિન અને કેલ્શિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો છે અને તેના સેવનથી ઘણા બધા આરોગ્ય લાભ મળે છે. જે લોકોમાં ઘણી નબળાઇ અને થાક હોય છે, શરીરમાં લોહીનો અભાવ હોય છે. તેમને દરરોજ સવારે 100 ગ્રામ કાચું પનીર ખાલી પેટ પર ખાવું જોઈએ.

POWER OF PROTIN: જો તમે આ રીતે PANEER ખાશો તો તમારે પ્રોટીન પાવડરની નહીં પડે જરૂર!

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમને પનીર ખાવાનો શોખ છે, તો પછી આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. આજે અમે તમારા માટે કાચા પનીરના ફાયદા લાવ્યા છીએ. કાચા પનીરમાં હાજર વિટામિન ડી અને કેલ્શિયમ કેન્સર સામે રક્ષણ માટે અસરકારક છે. તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાં માટે ફાયદાકારક છે. તેનો નિયમિત વપરાશ ઘણા રોગોના નિવારણમાં મદદગાર છે.

મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો

ડાયેટ એક્સપર્ટ ડો.રંજના સિંહના જણાવ્યા અનુસાર કાચા પનીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોલાઇટ્સ, વિટામિન અને કેલ્શિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો છે અને તેના સેવનથી ઘણા બધા આરોગ્ય લાભ મળે છે. જે લોકોમાં ઘણી નબળાઇ અને થાક હોય છે, શરીરમાં લોહીનો અભાવ હોય છે. તેમને દરરોજ સવારે 100 ગ્રામ કાચું પનીર ખાલી પેટ પર ખાવું જોઈએ.

કાચુ પનીર ખાવાના ફાયદા
1- વજન ઘટાડવામાં મદદરૂપ:
કાચા પનીરનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ ફાયદો થાય છે. તે લિનોલીક એસિડથી ભરપુર છે. જે શરીરમાં ચરબી બર્ન કરવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે અને વધારાનું વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

2- ત્વચા માટે લાભદાયી:
પનીરમાં પ્રોટીનની સાથે વિટામિન-એ, બી -1, બી -3, બી -6 અને પનીર, સેલેનિયમ, વિટામિન-ઇ અને એન્ટી-ઓક્સિડેન્ટમાંના અન્ય ઘણા પોષક તત્વો પણ મળી આવે છે. જેના કારણે ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.

3- હાડકા માટે મજબૂત:
કાચું પનીર હાડકાઓને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે. તેમાં ઘણા બધા કેલ્શિયમ અને ફોસ્ફરસ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.

4- નબળાઈ દૂર કરશે:
જો તમે કામ કરતી વખતે ઝડપથી થાકી જાઓ છો, તો કાચું પનીર તમારા માટે ફાયદાકારક છે. તેમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે નબળાઇ અને થાક દૂર કરે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂ બને છે.

5- સ્ટ્રેસ થશે દૂર:
આજની જીંદગીમાં નાની નાની બાબતોમાં તણાવ  આવે તે સામાન્ય વાત છે. તેને પહોંચી વળવા તમે કાચા પનીરનું સેવન કરી શકો છો. તે તમારા તણાવને દૂર કરશે અને સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરશે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news