થાળીમાં રોટલીની થપ્પીઓ લઈને બેસતા હોવ તો ચેતજો, જાણો શું કહે છે નિષ્ણાતો

Roti: શું રોટલી ખાવાથી કોઈ નુકસાન થાય છે? એક દિવસમાં વધુમાં વધુ કેટલી રોટલી ખાઈ શકાય? શું રાત્રે રોટલી ખવાય કે નહીં? જાણો રોટલી અંગે તમામ સવાલોના જવાબ...

થાળીમાં રોટલીની થપ્પીઓ લઈને બેસતા હોવ તો ચેતજો, જાણો શું કહે છે નિષ્ણાતો
  • રાત્રે રોટલી ખાવાથી વધે છે બ્લડ શુગર
  • રાત્રે રોટલી ખાવાથી ખરાબ થાય છે પાચનતંત્ર
  • રાત્રે રોટલી ખાવાથી વધી શકે છે વજન
  • રાત્રે રોટલી ખાવાથી થાય છે પેટની તકલીફો

Chapatis: સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે, ઘરમાં ગમે તે જમવાનું બનાવ્યું હોય, ગમે તેવા પકડવા બનાવ્યા હોય, પણ જો રોટલી ના બનાવી હોય તો ખાવાનું પુરું થતું નથી. ઘણાંને તમે કહેતા સાંભળા હશે કે, બીજું ગમે તે બનાવો તોય અમારે એમને રોટલી તો જોઈએ જ. કારણકે, કેટલાંક લોકોને રોટલી ખાધા વિના પેટ ભરાતું નથી. એટલું જ નહીં ઘણાં લોકો એક જ વારમાં 10-15 રોટલીઓ પણ જાપટી જતા હોય છે. ઘણાં લોકો તો જમવા બેસે તો થાળીમાં રોટલીની થપ્પીઓ લઈને બેસતા હોય છે. પરંતુ શું તમે જાણો છોકે, તમારી આ આદત તમને બનાવી શકે છે બીમાર...જાણો વાસ્તવમાં એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ. રાત્રે રોટલી ખવાય કે નહીં અને રોટલી ખાવાથી થતાં નુકસાન અંગે શું કહે છે ડાયટ એક્સપર્ટ...

ઘણા લોકોનું માનવું છે કે રોટલી ભાતની તુલનામાં વધુ ફાયદાકારક છે, તેના સેવનથી મોટાપો વધતો નથી. તેથી ઘણા લોકો લંચ કે ડિનરમાં ભરપૂર રોટલીઓ ખાતા હોય છે. જ્યારે નિષ્ણાંતો પ્રમાણે આ યોગ્ય નથી. પરંતુ જૂના જમાનાના વડીલો કહેતા હોય છે કે રોટલીને ગણીને ન ખાવી જોઈએ. 

રોટલી ભારતીયોના ભોજનનો જરૂરી ભાગ છે. રોટલી વગર ભારતીયોની થાળી અધૂરી લાગે છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં બપોરે અને રાત્રે રોટલી ખાવાની ચલણ છે. રોટલીને લઈને કહેવામાં આવે છે કે તે ખાવાથી વજન વઘતું નથી. આ વાતો સિવાય શું તમે જાણો છો કે શરીરને સ્વસ્થ તથા ફિટ રાખવા માટે આપણે દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? જો નહીં તો અમે આજે રોટલી સાથે જોડાયેલા કેટલાક મહત્વના સવાલના જવાબ આપવાના છીએ.

જો કે, તે યુગ એવો હતો કે જ્યારે ખાતર, પાણીથી લઈને હવા એટલું પ્રદૂષિત નહોતું. ખોરાકમાં રસાયણોનો ઉપયોગ બિલકુલ શૂન્ય હતો. જૈવિક ખાતરો દ્વારા જૈવિક પાકોનું ઉત્પાદન થતું હતું, પરંતુ વધતી જતી વસ્તી અનુસાર વધુ ઉત્પાદન માટે અપનાવવામાં આવતી પદ્ધતિઓ આયુર્વેદ, નેચરોપથી અને એલોપથીમાં માનનારાઓ દ્વારા પણ યોગ્ય માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ રોટલીને ગણ્યા વગર ખાતા હોવ તો આ સમાચાર તમારા માટે છે.

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ?
જો તમે રાત્રે રોટલી ખાઈ રહ્યાં છો તો 2થી વધુ રોટલી ખાવી જોઈએ નહીં. એટલું જ નહીં ભોજન કર્યાં બાદ થોડુ ચાલવું જોઈએ, જેથી રોટલીને પચાવવામાં સરળતા રહે. કારણ કે રોટલીમાં પણ સિમ્પલ કાર્બ છે તો તે તમારા મેટાબોલિઝ્મને ખરાબ કરી શકે છે. તેથી નિષ્ણાંતો રાત્રે રોટલીની જગ્યાએ ફાઈબરથી ભરપૂર ભોજન કરવાની સલાહ આપે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાની સાથે જલદી પચી જાય છે. 

એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?
નિષ્ણાંતો પ્રમાણે પુરૂષો અને મહિલાઓ માટે રોટલીની માત્રા અલગ-અલગ હોય છે. ખોરાક પૂરો કરવાના નામ પર ગણતરી કર્યાં વગર રોટલી ખાવી યોગ્ય નથી. તેવામાં જે મહિલાઓનું ડાઇટ પ્લાન દિવસમાં 1400 કેલેરીનું સેવન કરવાનું છે, તે 2 રોટલી સવારે અને બે રોટલી રાત્રે ખાઈ શકે છે. જો કોઈ પુરૂષના ડાઇટ પ્લાનમાં 1700 કેલેરી છે, તો તે પોતાના લંચ અને ડિનરમાં ત્રણ-ત્રણ રોટલી લઈ શકે છે.

રાત્રે રોટલી ખવાય કે નહીં?
જો તમે રાત્રે રોટલી ખાવ છો તો તેને પચાવવામાં ઘણો સમય લાગે છે. તે બોડીમાં શુગર લેવલ વધારે છે. તેવામાં ડિનરમાં રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી. તો રાત્રે તમારે આઠ વાગ્યા પહેલાં જરૂર ભોજન કરી લેવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્ય માટે સારૂ છે. 

રોટલી કે ભાતમાં સારૂ શું?
શરીરમાંથી ફેટ ઘટાડવા માટે કાર્બોહાઇડ્રેટથી દૂર રહેવું પડે છે. તેવામાં જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો તો ચોખા, બટાટા અને સુગરને અવોઇડ કરવી જોઈએ. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news