વડોદરાનાં પરિવારે કારમાં વખ ઘોળતા ચકચાર

પાવાગઢ - શિવરાજપુર રોડ પર ભાટ ગામ નજીક કારમાં ઝેરી દવા પીને વડોદરાનાં પરિવારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં પતિ -પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે. ઘટના અંગે જાણ થતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતદેહને હાલોલ ખાતેની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 
વડોદરાનાં પરિવારે કારમાં વખ ઘોળતા ચકચાર

પંચમહાલ : પાવાગઢ - શિવરાજપુર રોડ પર ભાટ ગામ નજીક કારમાં ઝેરી દવા પીને વડોદરાનાં પરિવારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોમાં પતિ -પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે. ઘટના અંગે જાણ થતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મૃતદેહને હાલોલ ખાતેની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ 1664, ચિત્રકુટ સોસાયટીમાં વિક્રમકુમાર અરવિંદ કાંત ત્રિવેદી (ઉ.વ 55), પત્ની હિનાબેન અને પુત્ર હર્નિલ (ઉ.વ 23) સાથે રહેતા હતા. ગત્ત રાત્રે પતિ-પત્ની અને પુત્ર ત્રણેય વડોદરાથી નીકલ્યા હતા અને પાવાગઢ - શિવરાજપુર રોડ પર આવેલા ભાટ ગામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં. પહોંચીને કારમાં જ સમગ્ર પરિવારે અંતિમ પગલું ભર્યું હતું. 

કારમાં બેહોશ પડેલા લોકોને જોઇને ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ પોલીસે જણા કરી હતી. જેથી પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મુદ્દે વધારે તપાસ હાથ ધરી છે. જો કે પરિવારની આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news