ત્રણ સંતાનોની માતાને અડધી રાત્રિનું 'લફરું' ભારે પડ્યું! પરપુરુષ સાથે...., પતિની ઊંઘ ઉડી અને થયો મોટો કાંડ!

અગાઉ પણ બેથી ત્રણ વખત અજાણ્યા પુરૂષ સાથે રીનાદેવી વાત કરી રહી હતી ત્યારે કુલદીપે ઠપકો આપ્યો હતો. પરંતુ ગત રાતે પુનઃ રીનાદેવીને મોબાઇલ વાત કરતા રંગેહાથ જોઇ જતા ઠપકો આપી રીનાદેવીને માર માર્યો હતો.

ત્રણ સંતાનોની માતાને અડધી રાત્રિનું 'લફરું' ભારે પડ્યું! પરપુરુષ સાથે...., પતિની ઊંઘ ઉડી અને થયો મોટો કાંડ!

ઝી બ્યુરો/સુરત: શહેરના અમરોલી-છાપરાભાઠા રોડના ક્રિષ્ણા કોમ્પ્લેક્ષમાં રહેતા પરપ્રાંતિય ત્રણ સંતાનની માતાને ચારિત્ર્ય અંગે શંકા રાખી રત્નકલાકાર પતિએ સાડી વડે ગળે ટુંપો આપી મોતને ઘાત ઉતાર્યાની ખેલ ખેલ્યો હતો. ઘટના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મધરાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા નિંદ્રાધીન ત્રણ પુત્રની હાજરીમાં પતિએ ખૂની ખેલ ખેલ્યો હતો. હાલ પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ દેવદીપ સોસાયટી-2 ના ક્રિષ્ણા કોમ્પ્લેક્ષમાં રહેતા રત્નકલાકાર કુલદીપ પ્રસાદ બોધી શાકુ તથા અને તેની પત્ની રીનાદેવી ત્રણ પુત્ર જમ્યા બાદ રાતે સુઇ ગયા હતા. દરમિયાનમાં મધરાતે રીનાદેવી મોબાઇલ પર અજાણ્યા પુરૂષ જોડે વાત કરી રહી હતી, ત્યારે કુલદીપ જાગી ગયો હતો. 

અગાઉ પણ બેથી ત્રણ વખત અજાણ્યા પુરૂષ સાથે રીનાદેવી વાત કરી રહી હતી ત્યારે કુલદીપે ઠપકો આપ્યો હતો. પરંતુ ગત રાતે પુનઃ રીનાદેવીને મોબાઇલ વાત કરતા રંગેહાથ જોઇ જતા ઠપકો આપી રીનાદેવીને માર માર્યો હતો. જેથી સ્વબચાવ માટે રીનાદેવી ઘરનો દરવાજો ખોલી ભાગી રહી હતી તે દરમિયાન કુલદીપે તેને પકડી લઇ પહેરેલી સાડી વડે ગળે ટુંપો આપી મોતને ઘાત ઉતારી હતી. 

અજાણ્યા પુરૂષ સાથે વાત કરી રહેલી રીનાદેવીને કુલદીપે મોતને ઘાત ઉતારી ત્યારે તેમના ત્રણેય પુત્ર નિંદ્રાધીન હતા. ઘટના પગલે અમરોલી પોલીસને જાણ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news