Surat: જમીન મુદ્દે પોતાના જ સગા કાકાનું કાસળ કાઢી નાખનાર ભત્રીજાને પોલીસે 10 વર્ષ બાદ ઝડપી લીધો

એવું કહેવાય છે કે ગુનેગાર ગમે એટલો હોંશિયાર કેમ ન હોય પરંતુ તેને કરેલો ગુન્હો ક્યારેય તેનો પીછો છોડતો નથી. આરોપી વર્ષો બાદ પણ પોલીસના હાથે ઝડપાય જ છે, બસ આવી જ એક ઘટના સુરતમાં બની છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી 2011માં સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉનશીપ પાસે સગાકાકાની શાકભાજીના ચપ્પુથી પેટમાં ઘા મારી હત્યા કરનાર ભત્રીજાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડ્યો છે. 10 વર્ષ બાદ ઝડપાયેલા હત્યારાએ કાકાની હત્યા કર્યા બાદ પોલીસની પકડથી બચવા માટે વેશ પલટો કરી દિલ્હી અને મુંબઈમાં કામ કર્યું હતું. 
Surat: જમીન મુદ્દે પોતાના જ સગા કાકાનું કાસળ કાઢી નાખનાર ભત્રીજાને પોલીસે 10 વર્ષ બાદ ઝડપી લીધો

તેજસ મોદી/સુરત : એવું કહેવાય છે કે ગુનેગાર ગમે એટલો હોંશિયાર કેમ ન હોય પરંતુ તેને કરેલો ગુન્હો ક્યારેય તેનો પીછો છોડતો નથી. આરોપી વર્ષો બાદ પણ પોલીસના હાથે ઝડપાય જ છે, બસ આવી જ એક ઘટના સુરતમાં બની છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી 2011માં સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉનશીપ પાસે સગાકાકાની શાકભાજીના ચપ્પુથી પેટમાં ઘા મારી હત્યા કરનાર ભત્રીજાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડ્યો છે. 10 વર્ષ બાદ ઝડપાયેલા હત્યારાએ કાકાની હત્યા કર્યા બાદ પોલીસની પકડથી બચવા માટે વેશ પલટો કરી દિલ્હી અને મુંબઈમાં કામ કર્યું હતું. 

શહેર પોલીસ વણ શોધાયેલા ગુનાઓ અંગે હમેશા તપાસ કરતી હોય છે, કેસ ભલે ગમે એટલો જૂનો કેમ ન હોય પણ તેના પર અધિકારીઓની નજર હમેશા રહે છે, ત્યારે રીઢા અને નાસતા ફરતા ગુનેગારો - આરોપીઓની તપાસમાં લાગેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમેને માહિતી મળી હતી કે 10 વર્ષ અગાઉ સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉન શીપના ગેટ પાસે રાકેશ શુકલા નામના વ્યકિતની હત્યામાં સંડોવાયેલા આરોપી ઈશ્વરપ્રસાદ ઉર્ફે મુન્નુ અર્જુન શુકલા મુંબઈમાં છુપાયેલો છે. 
જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે મુંબઈ રવાના થઇ હતી, જ્યા આરોપી ઈશ્વર પ્રસાદને ઝડપી પાડ્યો હતો. તેની પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઈશ્વરપ્રસાદે જણાવ્યું હતું કે, તેની માતાનું વર્ષ 2007માં અવસાન થયું હતું. તે વખતે મૃતક તેના કાકા રાકેશ શુકલા વતનમાં આવ્યા હતા. ત્યારે વતનની જમીનના ભાગબટાઈ વાત કરતા ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી ઈશ્વરપ્રસાદે કાકાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેથી હત્યા કરવાના ત્રણ દિવસ પહેલા ટ્રેનમાં બેસીને સુરત આવ્યો હતો. રાકેશ શુકલાની ત્રણ દિવસ રેકી કર્યા બાદ શાકભાજીની લારી પરથી ચપ્પુ લઈ તેની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી હતી. 

ક્રાઈમ બ્રાંચે ઈશ્વરપ્રસાદ શુકલાની મુંબઈ ખાતેથી ધરપકડ કરીને સચિન જી.આઈ.ડી.સી.પોલીસને આપી દીધો હતો. ઇશ્વરપ્રસાદ પોલીસથી બચવા માટે વેશ પલટો કરી દિલ્હી અને મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં રહીને મજુરીકામ કરતો હતો. તેને એમ હતું કે તે ક્યારેય પોલીસના હાથે ઝડપાઇ નહીં પણ તે ભૂલી ગયો હતો કે કાયદાની પકડથી કોઈ બચી શકતું નથી. એવું કહેવાય છે કે ગુનેગાર ગમે એટલો હોંશિયાર કેમ ન હોય પરંતુ તેને કરેલો ગુન્હો ક્યારેય તેનો પીછો છોડતો નથી, આરોપી વર્ષો બાદ પણ પોલીસના હાથે ઝડપાય જ છે. 

બસ આવી જ એક ઘટના સુરતમાં બની છે. જેમાં વતનની જમીનના ભાગબટાઈમાં ચાલતા ઝઘડાની અદાવત રાખી 2011માં સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉનશીપ પાસે સગાકાકાની શાકભાજીના ચપ્પુથી પેટમાં ઘા મારી હત્યા કરનાર ભત્રીજાને સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડ્યો છે. 10 વર્ષ બાદ ઝડપાયેલા હત્યારાએ કાકાની હત્યા કર્યા બાદ પોલીસની પકડથી બચવા માટે વેશ પલટો કરી દિલ્હી અને મુંબઈમાં કામ કર્યું હતું. શહેર પોલીસ વણ શોધાયેલા ગુનાઓ અંગે હમેશા તપાસ કરતી હોય છે. 

કેસ ભલે ગમે એટલો જૂનો કેમ ન હોય પણ તેના પર અધિકારીઓની નજર હમેશા રહે છે, ત્યારે રીઢા અને નાસતા ફરતા ગુનેગારો - આરોપીઓની તપાસમાં લાગેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમેને માહિતી મળી હતી કે 10 વર્ષ અગાઉ સચિન જીઆઈડીસી લક્ષ્મીવીલા ટાઉન શીપના ગેટ પાસે રાકેશ શુકલા નામના વ્યકિતની હત્યામાં સંડોવાયેલા આરોપી ઈશ્વરપ્રસાદ ઉર્ફે મુન્નુ અર્જુન શુકલા મુંબઈમાં છુપાયેલો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે મુંબઈ રવાના થઇ હતી, જ્યા આરોપી ઈશ્વર પ્રસાદને ઝડપી પાડ્યો હતો. તેની પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઈશ્વરપ્રસાદે જણાવ્યું હતું કે, તેની માતાનું વર્ષ 2007માં અવસાન થયું હતું. તે વખતે મૃતક તેના કાકા રાકેશ શુકલા વતનમાં આવ્યા હતા. ત્યારે વતનની જમીનના ભાગબટાઈ વાત કરતા ઝઘડો થયો હતો. 

આ ઝઘડાની અદાવત રાખી ઈશ્વરપ્રસાદે કાકાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેથી હત્યા કરવાના ત્રણ દિવસ પહેલા ટ્રેનમાં બેસીને સુરત આવ્યો હતો. રાકેશ શુકલાની ત્રણ દિવસ રેકી કર્યા બાદ શાકભાજીની લારી પરથી ચપ્પુ લઈ તેની હત્યા કરી  નાખી હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચે ઈશ્વરપ્રસાદ શુકલાની મુંબઈ ખાતેથી ધરપકડ કરીને સચિન જી.આઈ.ડી.સી.પોલીસને આપી દીધો હતો. ઇશ્વરપ્રસાદ પોલીસથી બચવા માટે વેશ પલટો કરી દિલ્હી અને મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં રહીને મજુરીકામ કરતો હતો. તેને એમ હતું કે તે ક્યારેય પોલીસના હાથે ઝડપાઇ નહીં પણ તે ભૂલી ગયો હતો કે કાયદાની પકડથી કોઈ બચી શકતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news