અકસ્માતમાં યુવક બન્યો બ્રેનડેડ, અંગદાન કરી 8 લોકોને આપ્યું જીવતદાન

સુરતની આયુષ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનું ૨૭૨ કિ.મીનું અંતર ૧૩૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં તબીબો  તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

અકસ્માતમાં યુવક બન્યો બ્રેનડેડ, અંગદાન કરી 8 લોકોને આપ્યું જીવતદાન

ચેતન પટેલ, સુરત: સુરતના હીરા ઉધોગમાં આવેલા રામકૃષ્ણ એક્ષપોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પીયુષભાઇનું મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. ઘટના સ્થળે  હાજર લોકોએ પિયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબો એ બ્રેઈન ડેડ જાહેર કરતા પરિવારે યુવાન નાઅંગોમાં  હૃદય, ફેફસાં, કિડની, લિવર, પેન્ક્રીઆસ અને ચક્ષુઓનું પરિવારે દાન કરી આઠ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી છે.

સુરતના રામકૃષ્ણ એક્ષ્પોર્ટમાં રત્નકલાકાર તરીકે કામ  પરિવારનું ગુજરાન ચાલતો પીયુષ નારણભાઈ માંગુકિયા (મૂળ ગામ-માળવાય, તા-મહુવા, જીલ્લો-ભાવનગર) થોડા દિવસ પહેલા  પીયુષ કામ પરથી છુટ્યા બાદ અમરોલી ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં રહેતા સસરાને ત્યાં બીમાર પત્નીને મળવા ગયો હતો. ત્યાંથી રાત્રે 10:00 કલાકે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અમરોલી સાયણ રોડ પર સાયણ ચેકપોસ્ટ પાસે આવેલ સદગુરુ પેટ્રોલપંપ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. 

ઘટના સ્થળે  હાજર લોકોએ પિયુષને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યુ હતો જોકે  સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું બુધવાર તા.૨૮ ઓકટોબરના રોજ ન્યૂરોસર્જન પીયુષને બ્રેનડેડ જાહેર કર્યો હતો. 

આયુષ હોસ્પીટલના મેડીકલ એડમિનિસ્ટ્રેટર સ્ટેટ એડવાઇઝરી કમિટી ફોર ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનના કમિટી મેમ્બર અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પીયુષના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પીયુષના પિતા નારણભાઈ, મોટા પપ્પા ભુરાભાઈ, ભાઈ પરેશ, સાળા સંજયભાઈ, પિતરાઈ ભાઈ હસમુખભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. 

જોકે પરિવારે  વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા. આથી જયારે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેનું શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આગળ આવિયા હતા જોકે પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization  સંપર્ક કરી હૃદય, ફેફસા, કિડની, લિવર અને પેન્ક્રીયાસ ના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, કિડની, લિવર તથા પેન્ક્રીયાસ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ને ફાળવવામાં આવ્યા. 

ROTTO દ્વારા ફેફસા મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. સુરત આવી હૃદયનું દાન અમદાવાદની સીમ્સ હોસ્પીટલ અને , ફેફસાનું દાન મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલના તબીબ  કિડની, લિવર અને પેન્ક્રીયાસનું દાન અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના તબીબની ટિમ સ્વીકારવાની તૈયારી બતાવવી હતી . ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંક દ્વારા સ્વિકારાયું હતું . 

જોકે સુરતની આયુષ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનું ૨૭૨ કિ.મીનું અંતર ૧૩૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બોરસદ (આણંદ)ના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં તબીબો  તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પીટલ સુધીનું ૨૯૬ કિ.મીનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ દહાણુંના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં તબીબની  ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં તબીબ બોની  તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાંથી હૃદયદાનની આ છત્રીસમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હૃદયદાન કરાવવાની આ ઓગણત્રીસમી ધટના છે, જેમાંથી ૨૦ હૃદય મુંબઈ, ૫ હૃદય અમદાવાદ, ૨ હૃદય ચેન્નાઈ, ૧ હૃદય ઇન્દોર અને ૧ હૃદય નવી દિલ્હી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ફેફસાના દાનની આ ચોથી ઘટના છે. જેમાંથી ૨ ફેફસા બેંગ્લોર, ૪ ફેફસા મુંબઈ અને ૨ ફેફસા ચેન્નાઈ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

હૃદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ નાનામાં નાના છેવાડાના વ્યક્તિ પણ કરાવી શકે તે માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ. ૭,૫૦,૦૦૦/- ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ.૭,૫૦,૦૦૦/- અને હૃદય અને ફેફસાના સંયુક્ત ટ્રાન્સપ્લાન્ટ માટે રૂ.૧૦,૦૦,૦૦૦/- ની સહાય માનનીય મુખ્યમંત્રીના રાહત ફંડ માંથી ચૂકવવાનું ઠરાવ્યું છે. હ્રદય અને ફેફસાં સમયસર અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે આયુષ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને બે વખત ગ્રીનકોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. 

એજ રીતે કિડની, લિવર અને પેન્ક્રીયાસ  અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે આયુષ હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૫૯ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૧ કિડની, ૧૫૧ લીવર, ૮ પેન્ક્રીઆસ, ૨૯ હૃદય, ૮ ફેફસાં અને ૨૭૪ ચક્ષુઓ કુલ ૮૪૧ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૭૪ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે. કોવિડ૧૯ ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન ૩ હૃદય, ૪ ફેફસા, ૧૨ કિડની, ૬ લિવર, ૧ પેન્ક્રીયાસ અને ૧૦ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news