વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહી

Monsoon Arrival : ખેડૂતો માટે આનંદના સમાચાર.... ગુજરાતમાં બે દિવસ વહેલું બેસશે ચોમાસું.... હવામાન વિભાગે કરી સારા વરસાદની આગાહી... 13 જૂને આવશે મેઘસવારી

વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહી

Monsoon 2024 Prediction : ગુજરાતમાં ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી આવી ગઈ છે. આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું આવશે. હવામાન વિભાગે કહ્યું- આ વર્ષનું ચોમાસું સારું રહેશે.  

પવન વધતા ગરમીમાં ઘટાડો થયો
રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પવન સાથે  ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.

છેલ્લા 24 કલાકમા રાજ્યમાં નોંધાયેલ તાપમાન પર નજર કરીએ તો, સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.0 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત 

  • અમદાવાદ 42.0 ડિગ્રી
  • ગાંધીનગર 41.5 ડિગ્રી
  • કંડલા 40.5 ડિગ્રી
  • રાજકોટ 40.5 ડિગ્રી
  • ડીસા 39.9 ડિગ્રી 
  • વલ્લભ વિદ્યાનગર 39.5 ડિગ્રી
  • વડોદરા 39.4 ડિગ્રી
  • સુરત 35.7 ડિગ્રી

સુરેન્દ્રનગરમાં વરસાદ આવ્યો
ગત રાતે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વઢવાણ તાલુકાના બાળા ગામે ઝરમર વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટાના કારણે નગરજનોે ગરમીથી આંશિક રાહત મળી હતી. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જ ગુજરાતમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન છે. બાળા ગામે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કપાસનું આગોતરું વાવેતર કરેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફેલાવી છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો હરખાયા છે. સુરેન્દ્રનગર માં દિવસે 43 ડીગ્રી તાપમાન બાદ રાત્રે વરસાદ નોંધાયો.

આ સમયે કરજો વાવણી 
ચોમાસું આવે એટલે વાવણીનો સમય. આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે. ક્યારે વાવણી કરવી, કયા સમયે કરવી, વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલનો જવાબ અંબાલાલ પટેલની આ સલાહમાં મળી જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે. અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ. અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે.

આ દિવસથી શરૂ થશે પ્રિ-મોન્સૂન વરસાદ 
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટીની આગાહી કરી છે. જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે. અંબાલાલ પટેલે કહ્યું કે, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 

ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાશે જોરદાર પવન
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકી, ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓ પરેશાન થઈ છે. અન્ય વિસ્તારોમાં પણ ૨૫થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે. મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઉભા પાકને નુકશાન જવાની ભીતિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news