ગાંધીનગરકાંડ: સગીરા સાથે નદીની કોતરમાં સેક્સ માણવા દરમિયાન આ મુદ્દે માથાકુટ થતા છરી મારી દીધી...

  • સુરતમાં ગ્રીષ્મા વેકરિયા પર થયેલા ધાતકી હુમલા અને હત્યાકાંડના પડઘા નથી શમ્યા ત્યાં ગાંધીનગરમાં સામે આવ્યો ચકચારી કેસ

  • ગુજરાતના પાટનગર તેવા ગાંધીનગરમાં સગીરાને નદીની કોતરમાં લઇ જઇને કટર વડે હુમલો કરતા પહેલા કર્યું હતું આવું કામ કે તમે ચોંકી ઉઠશો

    કટર હુમલાનો ભોગ બનનારી તરૂણી અને તેને કોતરમાં લઇ જનાર સંજય ઠાકોર બંન્ને લાંબા સમયથી પ્રેમમાં હતા પણ આ મુદ્દે વાંકુ પડતા કર્યો હુમલો

Trending Photos

ગાંધીનગરકાંડ: સગીરા સાથે નદીની કોતરમાં સેક્સ માણવા દરમિયાન આ મુદ્દે માથાકુટ થતા છરી મારી દીધી...
  • સુરતમાં ગ્રીષ્મા વેકરિયા પર થયેલા ધાતકી હુમલા અને હત્યાકાંડના પડઘા નથી શમ્યા ત્યાં ગાંધીનગરમાં સામે આવ્યો ચકચારી કેસ
  • ગુજરાતના પાટનગર તેવા ગાંધીનગરમાં સગીરાને નદીની કોતરમાં લઇ જઇને કટર વડે હુમલો કરતા પહેલા કર્યું હતું આવું કામ કે તમે ચોંકી ઉઠશો
  • કટર હુમલાનો ભોગ બનનારી તરૂણી અને તેને કોતરમાં લઇ જનાર સંજય ઠાકોર બંન્ને લાંબા સમયથી પ્રેમમાં હતા પણ આ મુદ્દે વાંકુ પડતા કર્યો હુમલો

GANDHINAGAR NEWS LIVE : ગુજરાતમાં હાલ ગ્રીષ્મા પટેલ હત્યાકાંડ સૌથી મોટી ચર્ચાનો વિષય છે. જો કે ગ્રીષ્મા પટેલની ઘટનાની શાહી સુકાઇ નહોતી ત્યાં ગાંધીનગરમાં પણ એક યુવાન દ્વારા સગીરાને નદીની કોતરોમાં બોલાવીને ગળામાં કટર મારી દેવાયાની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં કટરથી સગીરાનું ગળુ કાપી નાખનારા વિકૃત યુવકે પહેલા તરૂણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સંજય ઠાકોરે પહેલા તરૂણી સાથે બળજબરી પુર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ તેના ગળાપર કટર મારી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 

સગીરા પર હૂમલા બાદ જેમ તેમ કરીને તેણે પોતાના કાકાનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ તેના કાકા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સગીરાને તત્કાલ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તે બચી ગઇ હતી. ખતરાથી બહાર હોવાનું હાલ ડોક્ટર્સની ટીમ જણાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નદીની કોતરમાં ખેલાયેલા આ ખુની ખેલની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ તો આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 

ઇજાગ્રસ્ત સગીરાને વાગેલા કટરના ઘા એટલા ગંભીર હતા તે તેને 30 થી વધારે ટાંકા લેવામાં આવ્યા હતા. જો કે વેળાસર તેને સારવાર મળી જવાના કારણે તે બચી ગઇ હતી. જો કે ગુજરાતના પાટનગરમાં આવી ઘટના બનતા હવે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. સુરતમાં તો સ્થિતિ પોલીસના કાબુ બહાર જતી જ રહી છે પરંતુ હવે આવી ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે ત્યારે સમાજ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે, હાલ તો પોલીસ આરોપી પર કડકમાં કડક કાર્યવાહી કરવાનાં મુડમાં છે. 

સંજય આ તરૂણીના પ્રેમમાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે અમરાપુર નદીની કોતરમાં તેને લઇ ગયો હતો. ત્યાં થોડી વાતચીત કર્યા બાદ સંજયે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આવું ક્યાં સુધી ચાલશે. સાથે જીવવું નહી તો મરી જવું અથવા તો મરી જઇએ તેવા મુદ્દે માથાકુટ થતા ગળામાં કટર મારી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news