વડોદરા બોટ દુર્ઘટના મામલે હર્ષ સંઘવીની કડક પ્રતિક્રિયા; 'મજબૂત FIR દાખલ કરવા સૂચના આપી'

Vadodara Boat Accident: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક વડોદરા ખાતે દોડી ગયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કર્યા છે.

વડોદરા બોટ દુર્ઘટના મામલે હર્ષ સંઘવીની કડક પ્રતિક્રિયા; 'મજબૂત FIR દાખલ કરવા સૂચના આપી'

Vadodara Boat Accident: ઝી બ્યુરો/વડોદરાઃ હરણીના મોટનાથ તળાવમાં થયેલી દુર્ઘટનાની સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. જેને લઈને સરકારે મેજિસ્ટ્રેટને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે. બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક વડોદરા ખાતે દોડી ગયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કર્યા છે.

અનેક બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સમગ્ર ઘટના બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ન્યૂ સનરાઈઝ બાળકો સ્કૂલના શિક્ષકો સાથે પિકનિક માટે હરણી લેક ઝોન ગયા હતા. લગભગ 4.45 વાગે હરણીના મોટનાથ તળાવમાં બોટ પલટી ખાતા કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ સદનસીબે આપણે 18 બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ પણ બચાવ્યા છે. પરંતુ દુર્ભાગ્યવશ 12 બાળકો અને 2 શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયા છે.

NDRFની 2 ટીમોના 60 જવાનોને કામે લગાડ્યા!
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઘટનાના દ્રશ્યો અને બચાવ કાર્યના દ્રશ્યો જોઈ ગુજરાતના પ્રત્યેક પરિવારો એક એક બાળકનો જીવ કેવી રીતે બચે તેના માટે પૂજા કરતા હતા. આ ઘટનામાં પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુની કમિશ્નર ઘટનાની મિનિટોમાં સ્થળ પર પહોંચ્યા હતી. એનડીઆરએફની 2 ટીમોના 60 જવાનોને તાત્કાલિક કામે લગાડી દેવામાં આવી હતી. બાળકોને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તે માટે કામગીરી કરી હતી. બાળકોને વહેલીતકે સારવાર મળે તે માટે તંત્રે પ્રયાસ કર્યા હતા. ખાનગી હોસ્પિટલમાં બાળકોને ઝડપથી સારવાર મળે તે માટે પ્રયાસ કર્યા હતા. આ ઘટનામાં વડોદરાના ખાનગી તબીબોએ ખુબ સહકાર આપ્યો જે બદલ આભાર.

મજબૂત FIR દાખલ કરવા સૂચના આપી
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઘટના બનતાની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તંત્રને કડક સૂચના આપી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મજબૂત FIR દાખલ કરવા સૂચના આપી છે. FIRમાં કોઇ બચી ના શકે તેવી નોંધવા આદેશ કર્યા છે. બાળકોના ગુનેગારોને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ ઘટનામાં IPC 304, 308 અને 114 મુજબ FIR દાખલ કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાં FIR દાખલ કરાઈ છે. જેમાં બે આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે. પોલીસની 9 ટીમો તપાસમાં કામે લાગી છે. બીજા ફરાર આરોપીઓને પણ પકડી પાડીશું.

તેમણે જણાવ્યું હતું કે વડોદરાના જિલ્લા કલેક્ટરને તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ સરકારને સોંપવા આદેશ કર્યા છે. તપાસ કરવા કલેક્ટરને જે કાગળ આપવાની જરૂર હોય તે વિવિધ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે. આ ઘટના ખુબ દુઃખદ છે. ઘટનામાં અનેક પરિવારજનોએ બાળકો ગુમાવ્યા છે. જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યંત ભાવુક થયા છે. બાળકોને ન્યાય મળવો જોઈએ તેવું CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. કોન્ટ્રાક્ટ જોડે લાગતા વળગતા લોકો સામે કાર્યવાહી કરીશું. કોન્ટ્રાક્ટર નહીં બચે, એની જવાબદારી છે. ઈન્સ્પેક્શન કરવુ એ લાગતા વળગતા અધિકારીની જવાબદારી છે. બોટ ચલાવનાર એજન્સીની ક્ષતિ પ્રાથમિક રીતે દેખાય છે. લાઈફ ગાર્ડ માત્ર 10 લોકોને પહેરાવ્યા હતા. વધારે લોકોને બેસાડવા, લાઈફ ગાર્ડ ન પહેરાવવા એ ગુનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news