કેવી છે નાથની નગરયાત્રાની તૈયારીઓ? જાણો જગન્નાથની રથયાત્રાને અંગે A to Z માહિતી

Jagannath Rathyatra: ગુજરાતમાં આગામી ૭ જુલાઈ, અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ અને અન્ય દેવી-દેવતાની ૭૩ શોભાયાત્રાઓ નીકળશે...

કેવી છે નાથની નગરયાત્રાની તૈયારીઓ? જાણો જગન્નાથની રથયાત્રાને અંગે A to Z માહિતી

Jagannath Rathyatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આપી રહ્યો છે આખરી ઓપ...ગુજરાતમાં આગામી ૭ જુલાઈ, અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ અને અન્ય દેવી-દેવતાની ૭૩ શોભાયાત્રાઓ નીકળશે. ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુંકે, સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા-શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરક્ષાને લઈને પણ કોઈ કચાશ રાખવામાં નહીં આવે.

ભગવાન જગન્નાથજી ની નીકળશે 147ની રથયાત્રા:
રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ યોજીને વિગતવાર માહિતી આપી. મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતુંકે, રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે. રથયાત્રામાં 101 ટ્રક માં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે. આ સાથે જ આજે નિજ મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરું લઈને આવ્યાં યજમાન.

રથયાત્રાના આકર્ષણોઃ
અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજા વાળા રહેશે 
સાધુ સંતો સાથે 1000 થી 1200 જેટલાં ખલાસી ભાઈઓ રથ ખેંચશે 
2000 જેટલાં સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જેન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી આવશે 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિન્દ વિધિ કરાવશે

કેવી હશે રથયાત્રામાં વ્યવસ્થા?
રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ તથા 2 લાખ ઉપેર્ણા પ્રસાદમાં આપશે 
5 જુલાઈએ સવારે 8 વાગે ભગવાનના નેત્રોત્સવ પૂજાવિધિ કરવામાં આવશે 
સવારે ધ્વજરોહણ વિધિમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે 
ત્યાર બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાધુ સંતોનું સન્માન કરશે 
6 જુલાઈએ ભગવાનના સોનાવેશના દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવશે 
મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવશે 
પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા આરતી કરવામાં આવશે 
સાંજે મહાઆરતી કરવામાં આવશે 
7 જુલાઈએ ભગવાન નગરચર્યાએ નીકળશે 
સવારે 4 વાગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ મંગળા આરતી કરશે 
ભગવાનને ખીચડીનો વિશેષ ભોગ ધારાવવામા આવશે 
ત્યાર બાદ ભગવાનને અતિપ્રિય આદિવાસી નૃત્ય, ગરબા, કરી ભગવાનના પાટા ખોલવામાં આવશે 
સવારે 5.45 ભગવાન રથમાં પ્રવેશ થશે 
સવારે 7.00 વાગે રથયાત્રાનો શુભારંભ થશે 
જગન્નાથ મંદિર ની  વેબસાઇટ WWW.JAGANNATHJI AHD.ORG ઉપર ઓનલાઇન દર્શન થઈ શકશે
મંદીર માં પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો 1 કરોડ નો ઇનસ્યોરન્સ  છે

કુલ 209 યાત્રાઓનું આયોજનઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આગામી તા. ૭ જુલાઈ અને અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની ૧૩૬ રથયાત્રાઓ તેમજ અન્ય ૭૩ શોભાયાત્રાઓ મળી કુલ ૨૦૯ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરક્ષાની તૈયારીઓને અપાયો આખરી ઓપઃ
વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની ૧૪૭મી રથયાત્રા નીકળશે, જે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમની સુરક્ષા-સલામતી તેમજ રથયાત્રાની સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

તેમને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર VISWAS પ્રોજેક્ટ અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરેલા CCTV કેમેરાના માધ્યમથી સતત નિરીક્ષણ કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, રથયાત્રામાં શાંતિ-સલામતી સુનિશ્ચિત કરવા ડ્રોન આધારિત કેમેરા સીસ્ટમ અને બોડી વોર્ન કેમેરા સીસ્ટમનો મહત્તમ ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવશે. રથયાત્રા નિર્વિઘ્ન ચાલે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ડીપ્લોય કરવામાં આવી છે. સાથે જ એસ.આર.પી.એફ, હોમગાર્ડ, GRD અને TRBની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિઓ સાથે બેઠક કરીને રથયાત્રા દરમિયાન જુદા-જુદા ધર્મના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો પોલીસની મદદમાં ઉપસ્થિત રહે તે આયોજન પણ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news