Jagannath rathyatra News

ભગવાન જગન્નાથના નવા રથની તૈયારીઓ, બનાવતા પહેલા જગન્નાથ પુરીના રથનો પણ અભ્યાસ કરાયો
Lord Jagganath Rathyatra સપના શર્મા/અમદાવાદ : અમદાવાદમાં આ વર્ષે નીકળનારી રથયાત્રામાં ભગવાન નવા રથ ઉપર બિરાજમાન થઇ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને તો હજી વાર છે, પંરતું નવા રથ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રથનું મોટાભાગનું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે. ભગવાન શ્રી જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને લાડકી બહેન શુભદ્રાના રથનું કામકાજ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ રથ વલસાડી સાગમાંથી તો રથના પૈડાં સીસમના લાકડામાંથી તૈયાર કરવામાં આવી રહ્યાં છે. રથની ડિઝાઇન માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને મહન્ત પુરી જઈ ત્યાંના રથનો પણ અભ્યાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂના રથ જીર્ણ થઈ ગયા હોવાથી ભગવાન માટે હવે નવા રથ બનાવવાની જરૂર પડી છે. 
Feb 5,2023, 12:28 PM IST
રથયાત્રા પુર્ણ કર્યા છતા પણ ભગવાન નિજ મંદિરમાં નહી પ્રવેશી શકે, આખી રાત ભગવાન રહેશે
145મી રથયાત્રા અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ સંપૂર્ણ થઈ હતી. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા હતા. ત્રણેય રથ શાંતિપૂર્ણ માહોલમાં મંદિરમાં પહોંચ્યા હતા. જગતના નાથની શાંતિપૂર્ણ માહોલમાં નગરચર્યા સંપન્ન થઇ હતી. ત્યારે ત્રણેય રથ નિજમંદિરમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવ્યા હતા અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી કરવામાં આવી હતી. ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ છે.
Jul 1,2022, 23:53 PM IST

Trending news