Gujarat Collage ની લાયબ્રેરી અને સુરેન્દ્રનગરની કોલેજનું નામ બદલાયું, ખબર છે નવું નામ

ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્વતંત્રતા સેનાની વીર શહીદ વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. જયારે ચોટીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ છે. 

Gujarat Collage ની લાયબ્રેરી અને સુરેન્દ્રનગરની કોલેજનું નામ બદલાયું, ખબર છે નવું નામ

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત કોલેજ Gujarat Collage) કેમ્પસની લાઇબ્રેરી (Library) નું નામ ‘‘SYDENHAM LIBRARY’’થી બદલીને ‘‘વીર શહીદ વિનોદ કિનારીવાલા પુસ્તકાલય’’ કરવાનો નિર્ણય લેવાયો છે. આ જ રીતે સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા ખાતેની સરકારી વિનયન કૉલેજનું નામ ‘‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani) વિનિયન કોલેજ’’ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્વતંત્રતા સેનાની વીર શહીદ વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. જયારે ચોટીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ છે. 

આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગને ગુજરાત કોલેજ કેમ્પસની લાઇબ્રેરી અને ચોટીલા સરકારી વિનયન કૉલેજનું નામાભિધાન કરવા સંદર્ભે મળેલી દરખાસ્તના અનુસંધાને ઉપરોક્ત બંને સંસ્થાઓનું નામાભિધાન કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news