ZEE IMPACT: વડોદરામાં મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારની મદદે આવ્યું તંત્ર

મધ્ય પ્રદેશના 120 જેટલા પરિવારો પાદરામાં અટવાયા હતા. પરિવારોને કોઈ સુવિધા કે વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરતા તમામ પરિવારોને પાદરા બસ ડેપો ખાતે રોકાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઝી 224 કલાકે સમગ્ર અહેવાલ દર્શાવતા તંત્ર શ્રમિકોની વહારે આવ્યું હતું

ZEE IMPACT: વડોદરામાં મધ્ય પ્રદેશના શ્રમજીવી પરિવારની મદદે આવ્યું તંત્ર

મિતેશ માળી, વડોદરા: મધ્ય પ્રદેશના 120 જેટલા પરિવારો પાદરામાં અટવાયા હતા. પરિવારોને કોઈ સુવિધા કે વતન જવા માટે કોઇ વ્યવસ્થા ન કરતા તમામ પરિવારોને પાદરા બસ ડેપો ખાતે રોકાવવાનો વારો આવ્યો હતો. ત્યારે ઝી 224 કલાકે સમગ્ર અહેવાલ દર્શાવતા તંત્ર શ્રમિકોની વહારે આવ્યું હતું. તમામને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાને પગલે સમગ્ર દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે પાદરામાં ત્રણ દિવસથી જડબેસલાક બંધ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર તરફથી પોતાના માદરે વતન ફરી રહેલા 120 જેટલા શ્રમજીવી પરિવારો ચાલતા ચાલતા પાદરા પહોંચ્યા હતા. પરંતુ આ તમામ શ્રમજીવી પરિવારોને પોતાના માદર વતન મધ્ય પ્રદેશ જવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા શ્રમજીવી પરિવારો પાદરામાં અટવાયા હતા.

જો કે પાદરામાં અટવાયેલા આ પરિવારોની વ્યથા ઝી 24 કલાક પર દર્શાવવામાં આવી હતી. જેને લઇ પાદરા વહીવટી તંત્રએ અહેવાલ દર્શાવ્યા બાદ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના કલેક્ટરના આદેશ બાદ મામલતદાર સહિતની ટીમો શ્રમજીવી પરિવારોની પછૂપરછ કરી તમામને પાદરાની એક શાળામાં સુરક્ષિત રોકવામાં આવશે તેવી ખાતરી આપી છે. તો બીજી તરફ અહેવાલ બાદ સામાજિક સંસ્થાઓ દ્વારા આ શ્રમજીવી પરિવારોને જમવા તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓfacebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news